Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રી પ્રો.વસુબેન ત્રિવેદીનું દિલ્હીમાં વિશિષ્ટ સન્માન

જામનગરનું ગૌરવઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૪ઃ તાજેતરમાં દિલ્હી યુનિવર્સિટી સંલગ્ન સમગ્ર ભારત વર્ષની પ્રથમ ચાર ક્રમાંકિત પૈકીની કિરોડીમલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો સ્વાગત સમારંભ યોજાયો હતો. જેમાં હરીયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સહિતના મહાનુભાવો અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કિરોડીમલ કોલેજની ગર્વંનિંગ બોડીના ચેરપર્સન અને ગુજરાતના પૂર્વ રાજ્યમંત્રી પો. વસુબેન ત્રિવેદી પણ સંસ્થાના મુખ્ય હોદ્દેદાર તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

પ્રો. વસુબેન ત્રિવેદી સતત ત્રણ વખત જામનગર દક્ષિણના ધારાસભ્ય રહી ચૂક્યા છે, અને શિક્ષણ અને મહિલા તથા બાળ વિકાસના રાજ્યમંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકેના તોએના કાર્યકાળ મહિલા પોલીસ મથકોની સ્થાપના જેવા સુરક્ષામાં નિર્ણાયક કાર્યો થયા હતા.

કિરોડીમલ કોલેજના કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે બહોળો અનુભવ અને પ્રતિષ્ઠા ધરાવતા પ્રો. વસુબેન ત્રિવેદીનું એક દૂરદૃષ્ટા માર્ગદર્શક તરીકે સન્માન કરવામાં આવ્યું હતું. આ તકે ઉપસ્થિત હરીયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર સહિતના મહાનુભાવોએ પણ પ્રો. વસુબેનના સમાજસેવામાં દિર્ધકાલીન પ્રદાનને બિરદાવ્યું હતું.

આ તકે પ્રો. વસુબેન દ્વારા ઈતિહાસમાં સુધારાનો સમય ચાલી રહ્યો હોવાની વાત કરી વિદ્યાર્થીઓને કોેલેજને સરસ્વતીનું મંદિર સમજી પૂજારી તરીકે કાર્યરત રહી અભ્યાસને આરાધના સમજવાનો સંદેશ આપ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh