Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખરાબ રોડ-રસ્તાના મુદ્દે
જામનગર તા. ૩: ખરાબ રોડ-રસ્તા મુદ્દે જામજોધપુર તાલુકાના ઈશ્વરિયા ગામથી જામજોધપુર સુધી સ્થાનિક ધારાસભ્ય દ્વારા પદયાત્રા કરવામાં આવશે અને મામલતદાર કચેરીને તાળાબંધી કરવામાં આવશે.
જામજોધપુર-લાલપુર વિધાનસભા મત વિસ્તારમાં રોડ-રસ્તાની હાલત ખરાબ છે. જે બાબતે ધારાસભ્ય હેમત ખવાની રજૂઆત પછી અનેક કામો કરવામાં આવ્યા હતાં, પરંતુ સરકારની અણઘડ નીતિ અને હાલના પ્રવર્તમાન એસઓઆરના નીચા ભાવના કારણે કોઈ એજન્સી રોડ-રસ્તાનું કામ કરવા તૈયાર નથી. જેનો ભોગ સામાનય લોકોબી રહ્યા છે.
આવી સ્થિતિ સમગ્ર રાજ્યમાં છે. જામનગર જિલ્લાના પણ અનેક રસ્તાનો ૧પ વખત ટેન્ડરો બહાર પડવા છતાં કોઈ કામ લેવા તૈયાર નથી. નીચા ભાવ પરવડતા નથી અને સરકાર ઊંચા ભાવ મંજુર કરતી નથી.
આ બાબતે સરકારનું ધ્યાન દોરવા માટે તા. પ-૯-ર૦રપ ના ઈશ્વરિયા ગામથી જામજોધપુર સુધી ધારાસભ્ય હેમત ખવા પદયાત્રા કરશે અને જામજોધપુરની મામલતદાર કચેરીને તાળાબંધી કરવામાં આવનાર છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial