Advertisement
Author: નોબત સમાચાર

પૂ. સુશીલાબાઈ મ.સ. કાળધર્મ પામ્યા

ગોંડલ સંપ્રદાયના પૂ. ધીરગુરૂદેવના આજ્ઞાનુવર્તી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૦: ગોંડલ સંપ્રદાયના પૂ. શ્રી ધીરગુરુદેવ ના આજ્ઞાનુવર્તી પૂ. કુંદનપુષ્પાબાઈ મ.સ. ના સુશિષ્યા બા.બ્ર.પૂ. સુશીલાબાઈ મ.સ. ૭૧ વર્ષની વયે ૫૬ વર્ષ ના દીક્ષા પર્યાય સહિત ૦૮/૦૯/૨૫ ને સોમવારે બપોરે ૩:૦૦ કલાકે સમાધસમાધિભાવે કાળધર્મ પામ્યા છે. પૂ. ઉષાજી મ.સ., પૂ. પ્રવીણાજી મ.સ., પૂ. પુનિતાજી મ.સ. વૈયાવચ્ચમાં હતા.

જેતપુરમાં નરભેકુંવરબેન અને જયંતિલાલ કામદારના ગૃહાંગણે તા. ૨૫/૦૧/૧૯૪૪ ના જન્મેલા સુશીલાબહેને ૨૫ વર્ષ ની વયે જામનગરમાં બા.બ્ર.પૂ. સમર્થગુરુણી ના શ્રીમુખે તા. ૨૨/૦૫/૧૯૬૯ ના પૂ. પુષ્પાબાઈ મ.સ. ની નિશ્રામાં દીક્ષા અંગીકાર કરેલ. અનેક વિધ તપશ્ચર્યા તેમજ ૧૧ આગમ કંઠસ્થ, પોલાદી મનોબળ ધારક હતા. છેલ્લા બે વર્ષથી કેન્સરની બીમારીમાં સમતાભાવ વંદનીય હતો. શ્રમજીવી ઉપાશ્રય, ઢેબરભાઈ રોડ, રાજકોટથી પાલખી યાત્રા સાંજે ૬ કલાકે નીકળી હતી. ગોંડલ ગચ્છ શિરોમણી જસરાજજી મ. સા., પૂ. ધીરગુરુદેવે ગુણાંજલિ અર્પણ કરેલ. તા. ૯ને મંગળવારે સવારે ૯:૦૦ કલાકે શ્રમજીવી ઉપાશ્રયે ગુણાનુવાદ કાર્યક્રમ રાખવમાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh