Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કેટલાક વિસ્તારમાં જ વરસાદઃ ઠેર ઠેર જલભરાવઃ
જામનગરમાં ગત્ મોડી સાંજે જોરદાર વરસાદી ઝાપટું વરસ્યું હતું, આથી નવરાત્રિ મહોત્સવની ઉજવણીમાં મુશ્કેલી સર્જાઈ હતી, જો કે શહેરના અમુક વિસ્તારમાં જ વરસાદ થયો હતો. ગઈકાલે સાંજે જામનગરમાં વાતાવરણ બદલાયું હતું અને જોરદાર વરસાદી ઝાપટું વરસી જતા માર્ગો ઉપરના ખાડામાં પાણી ભરાયા હતાં. જો કે, શહેરના માત્ર અમુક વિસ્તારમાં જ વરસાદ થયો હતો, જ્યારે અમુક વિસ્તાર કોરા રહ્યા હતાં, એટલે કે ત્યાં વરસાદ થયો નહતો. આ વરસાદથી શહેરમાં શેરીઓમાં અથવા ચોકમાં થતી શેરી ગરબીના સ્થળે પાણી ભરાતા આયોજકોને ભારે મુશ્કેલી પડી હતી. આ ઉપરાંત શહેરની ભાગોળે પાર્ટી પ્લોટમાં પણ પાણી ભરાયા હોવાથી અમુક સ્થળે નવરાત્રિ મહોત્સવ રદ્ કરાયા હતાં, જો કે આજે વાતાવરણ ચોખ્ખું છે, જ્યારે બપોર પછી જો વરસાદ નહીં થાય તો રાબેતામુજબ નવરાત્રિ મહોત્સવની ઉજવણી થશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial