Advertisement
Author: નોબત સમાચાર

જાણો, તા. ૧૬ ઓક્ટોબર, ગુરૂવાર અને આસો વદ દશમનું પંચાંગ

સુર્યોદય : ૬-૪૫ - સુર્યાસ્ત : ૬-૨૧

                                                                                                                                                                                                      

દિવસના ચોઘડીયા

(૧) શુભ (ર) રોગ (૩) ઉદ્વેગ (૪) ચલ (પ) લાભ (૬) અમૃત (૭) કાળ (૮) શુભ

રાત્રિના ચોઘડીયા

(૧) અમૃત (ર) ચલ (૩) રોગ (૪) કાળ (પ) લાભ (૬) ઉદ્વેગ (૭) શુભ (૮) અમૃત

વિક્રમ સંવતઃ ર૦૮૧, આસો વદ-૧૦ :

તા. ૧૬-૧૦-ર૦૨૫, ગુરૂવાર

જૈન સંવતઃ ૨૫૫૧, શાલિશકઃ ૧૯૪૭,

યુગાબ્ધ : ૫૧૨૭, પારસી રોજ : ૩,

મુસ્લિમ રોજઃ ૨૩, નક્ષત્રઃ આશ્લેષા,

યોગઃ શુભ, કરણઃ બવ

 

તા. ૧૬ ઓક્ટોબર ના દિવસે - જન્મેલાનું વર્ષફળ

આ સમયમાં કુટુંબ-પરિવારનો સાથ-સહકાર મળી રહે. ભાઈ-ભાંડુ વર્ગ, સગા-સંબંધીવર્ગના કામકાજ અંગે વ્યસ્તતા-દોડધામ રહે, પરંતુ આનંદ રહે. નોકરી-ધંધામાં કામ થાય ખરા પરંતુ કેટલાક કામમાં દોડધામ વધે તો કેટલાક કામમાં નફા-નુકસાની વેઠવી પડે. જો કે, સંયુક્ત ધંધામાં ભાઈભાંડુનો સાથ-સહકાર મળી રહે. વિદ્યાર્થી વર્ગને મહેનતના પ્રમાણમાં સફળતા મળવાથી પ્રસન્નતા રહે.

બાળકની રાશિઃ કર્ક ૧૨.૪૩ સુધી પછી સિંહ



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh