Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દ્વારકા શહેરમાં પાણી ભરાવાના પ્રશ્નના કાયમી ઉકેલ માટે
દ્વારકા તા. ૧૫ઃ દ્વારકામાં દર વર્ષે ચોમાસાની ઋતુ દરમ્યાન વરસાદને કારણે પાણી ભરાવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. આ પ્રશ્નનના કાયમી નિરાકરણ માટે નગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટે કરાયેલા સ્ટોર્મ વોટર ડ્રેનેજના માસ્ટર પ્લાનને મંજુર કરવા દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરી છે. પબુભાએ રજૂઆતમાં જણાવેલ છે કે દ્વારકા શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં ચોમાસાની ઋતુ દરમ્યાન થતા ભારે વરસાદ દરમ્યાન પાણી ભરાવાની સમસ્યા રહે છે.. અને પાણી નિકાલ થવામાં ખૂબજ વિલંબ થાય છે, જેના લીધે દ્વારકાના સ્થાનિક રહેવાસીઓ તથા યાત્રિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે દ્વારકા નગરપાલિકા દ્વારા દ્વારકા શહેરમાં ભારે વરસાદને કારણે ભરાતા પાણીના નિકાલ માટે સર્વે કરી સ્ટોર્મ વોટર ડ્રેનેજનો માસ્ટર પ્લાન બનાવવામાં આવેલ છે. આ પ્રોજેક્ટને તાત્કાલિક અસરથી મંજૂરી આપવા રજૂઆત કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial