Advertisement
Author: નોબત સમાચાર

જામનગર જિલ્લામાં ચોમાસામાં ક્ષતિગ્રસ્ત વિવિધ માર્ગોનું સમારકામ સંપન્ન થયાનો તંત્રનો દાવો

કલેકટરનો આદેશ થતા માર્ગ-મકાન વિભાગે હાથ ધર્યું હતું રિપેરીંગ

                                                                                                                                                                                                      

જામનગર તા ૩૦: જામનગર જિલ્લામાં ચોમાસા દરમ્યાન ક્ષતિગ્રસ્ત થયેલ વિવિધ માર્ગોનું સમારકામ પૂર્ણ કરાયું છે.

જામનગર માર્ગ અને મકાન વિભાગ દ્વારા જિલ્લામાં વરસાદના પરિણામે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. ચોમાસામાં વાહનચાલકોને તકલીફ ન પડે તે હેતુથી વિવિધ જગ્યાઓ પર માર્ગ મરામતની કામગીરી પૂર્ણ કરી જિલ્લાના વિવિધ માર્ગોને વાહનવ્યવહાર માટે અનુકૂળ બનાવ્યા છે.

આ સમારકામમાં લાલપુર ત્રણ પાટિયા રોડ, જામનગર સમાણા ફૂલનાથ રોડ, ધ્રોલ ભાદરા પાટિયા રોડ, મોટા વડાળા સણોસરા રોડ અને અલીયાબાડા વિજરખી રોડનો સમાવેશ થાય છે. તેમજ ચોમાસાની ઋતુ ધ્યાને લેતા માર્ગો પર જરૂરિયાત મુજબ મેટલ પેચ, વેટ મિક્સ પેચ, અને કોંક્રિટ પેચ કરીને રસ્તાઓનું સમારકામ કરવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે, નાગરિકોને સુગમ અને સુરક્ષિત માર્ગો ઉપલબ્ધ થાય તે માટે જિલ્લા કલેકટર કેતન ઠક્કર દ્વારા ચોમાસાના પરિણામે નુકસાન થયેલા રસ્તાઓનો સર્વે કરીને તાકીદે તેના રિપેરીંગનું કામ પૂર્ણ કરવા તંત્રને જણાવાયું હતું. જેને અનુલક્ષીને માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેર વિજય ગૌસ્વામીના માર્ગદર્શન હેઠળ વિભાગ દ્વારા વિવિધ માર્ગો પર પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh