Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ડ્રાઈવરને માર મારી ચલાવાઈ હતી લૂંટઃ
જામનગર તા. ૨૬: જામનગરની એક શીપીંગ કંપનીના કોલસા ભરેલા ટ્રકને ખંભાળીયા હાઈવે પર લૂંટી લેવાયાની અને ડ્રાઈવરને મારકૂટ કરાયાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. તે કેસ ચાલી જતાં કોર્ટે ૪ આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરની એક શીપીંગ કંપનીનો ટ્રક થોડા વખત પહેલાં મોટી ખાવડી નજીક ખાનગી કંપનીમાંથી કોલસો ભરીને નિયત સ્થળે જવા માટે રવાના થયો હતો. તે ટ્રક જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર સરમત ગામના પાટીયા પાસે પહોંચ્યો ત્યારે પાછળથી કાળા રંગની અને નંબર પ્લેટ વગરની વર્ના મોટરમાં આવેલા ચાર શખ્સે તે ટ્રક રોકાવ્યો હતો.
તે ટ્રકના ચાલક ઈસુબ અલારખા સાંઘાણીને નીચે ઉતારી ચારેય શખ્સે સાઈડ કેમ આપતો નથી તેમ કહી મારકૂટ કર્યા પછી એક શખ્સે ટ્રકની ચાવી ઝૂંટવી લીધી હતી અને ટ્રક ચાલુ કરી આ શખ્સો તેને હંકારી ગયા હતા. કોલસા ભરેલા ટ્રકની લૂંટ તથા ડ્રાઈવરને મારકૂટ કરવા અંગે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
પોલીસે તપાસ દરમિયાન યશગીરી ગુલાબગર ગોસ્વામી ઉર્ફે ડાડા, કલ્પેશ લાલગીરી ગોસાઈ, સંજયગર જયંતિગર મેઘનાણી તથા અજયસિંહ કિરીટસિંહ જાડેજા નામના ચાર શખ્સની ધરપકડ કરી હતી. ઉપરોક્ત કેસ જામનગરની સેશન્સ કોર્ટમાં ચાલવા પર આવતા આરોપીઓએ કોલસા ભરેલા ટ્રકની સરાજાહેર લૂંટ કરી હોવાથી સજા ફટકારવાની માગણી કરવામાં આવી હતી. તેની સામે બચાવપક્ષે દલીલ કરી હતી કે, બનાવના કહેવાતા સ્થળ પર મોટી હોટલો તેમજ ટોલનાકુ આવેલુ છે. ત્યાં ક્યાંયથી પણ સીસી ટીવી ફૂટેજ કબજે કરાયા નથી. સ્વતંત્ર સાહેદના નિવેદન લેવાયા નથી. અદાલતે તે દલીલ ગ્રાહ્ય રાખી ફરિયાદ પક્ષ શંકા રહીત કેસ સાબિત કરી શક્યો નથી તેમ ઠરાવી આરોપીઓનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial