Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં ઈદે મિલાદ શરીફની ઉજવણીઃ નગરમાં નીકળ્યું ભવ્ય ઝુલુસઃ ઠેર-ઠેર આવકાર

૫ોલીસ દ્વારા સુરક્ષા-વ્યવસ્થાઃ સુન્ની-મુસ્લિમ જમાતના અગ્રણીઓ જોડાયા

                                                                                                                                                                                                      

જામનગરમાં ઈદે મિલાદના અવસરે આજે સવારે ૯ વાગ્યાથી શાયર પીરથી સુન્ની-મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી જુમ્માભાઈ ખફી, હાજી અબ્દુલભાઈ ખલીફા, ઈકબાલભાઈ બેલીમ (એડવોકેટ) ની આગેવાની હેઠળ ઝુલુસ શરૂ કરવામાં આવ્યું હતું. નિયમિત રૂટ પર આ ઝુલુસ પહોંચતા ઠેર-ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. ઝુલુસના રૂટ પર દરેક જાતની ન્યાઝ તકસીમ કરવામાં આવેલ. બપોરે ૧ર વાગ્યે શુક્રવાર હોવાથી ઝુલુસ સમાપ્ત કરવામાં આવ્યું હતું. દરબારગઢ એરીયામાં મૌલાના અ.કાદર આરબ દ્વારા દેશ માટે ખાસ દુઆ કરવામાં આવેલ હતી. ઈનાયતખાન પત્રકારે આભાર વ્યક્ત કર્યો હતો. સુન્ની-મુસ્લિમ જમાતના પ્રમુખ હાજી જુમ્માભાઈ ખફીએ જામનગરની પોલીસ દ્વારા સારી વ્યવસ્થા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh