Advertisement
Author: નોબત સમાચાર

ઓપરેશન મહાદેવ હેઠળ ત્રણ આતંકવાદીઓ ઠારઃ સેનાએ પહલગામ હુમલાનો બદલો લીધો

લોકસભામાં ગૃહમંત્રી અમિત શાહે કરી જાહેરાતઃ

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ર૯: ઓપરેશન મહાદેવ હેઠળ ત્રણ આતંકવાદીઓને ઠાર કરાયા હોવાની જાહેરાત કરતા ગૃહમંત્રી અમિતભાઈ શાહે લોકસભામાં કહ્યું હતું કે સેનાએ પહલગામ હુમલાનો બદલો લીધો છે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં કહ્યું કે, 'ઓપરેશ મહાદેવ' હેઠળ સુલેમાન ઉર્ફે ફૈઝલ, અફઘાન અને જિબ્રાન એમ ત્રણ આતંકવાદીઓ ઠાર કરવામાં આવ્યા છે. સુલેમાન 'એ' શ્રેણી લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર હતો અને તે પહલગામ હુમલામાં સામેલ હતો.

અફઘાન અને જિબ્રાન પણ 'એ' ગ્રેડ આતંકવાદી હતાં. હું સમગ્ર દેશને જણાવવા માગું છું કે પહલગામ હુમલામાં આપણાં નાગરિકોને જેમણે માર્યા તે ત્રણેય આતંકવાદીને મોતને ઘાટ ઉતારી દીધા છે.

શ્રીનગરના લિડવાસ વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને સેનાના સંયુક્ત ઓપરેશનમાં ટીઆરએફના ત્રણ આતંકવાદીઓને ઘેરી લેવામાં આવ્યા હતાં. આ ત્રણેય આતંકવાદીઓ 'એ' ગ્રેડ આતંકવાદી હતાં. તેમને ઠાર કરી સેનાએ પહલગામ આતંકી હુમલાનો બદલો લીધો હોવાનું ગૃહમંત્રીએ જણાવ્યું હતું.

ઓપરેશન મહાદેવની શરૂઆત રર એપ્રિલ, ર૦રપ ના થઈ હતી, જે દિવસે પહલગામ આતંકી હુમલો થયો હતો. તે રાત્રે હાઈલેવલની સુરક્ષા બેઠક યોજાઈ હતી. તેનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું, તમામ સુરક્ષાદળોએ સાથે મળી ઓપરેશન મહાદેવ હેઠળ ગઈકાલે આ મોટી સફળતા મેળવી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh