Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચેક પરતમાં અન્ય એક આસામીને ૧૨ મહિનાની કેદઃ
જામનગર તા. ૧૨: જામનગરના એક આસામીને રૂ.૪ લાખના ચેક પરતના કેસમાં એક વર્ષની કેદ ફટકારવામાં આવી છે. જ્યારે એક વેપારીને રૂ.૫૦ હજારના ચેક પરતના કેસમાં પાંચ મહિનાની સજા થયા પછી તેઓએ આ હુકમને ઉપરની કોર્ટમાં પડકાર્યાે હતો. અપીલમાં પણ નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે.
જામનગરના ભરતસિંહ અજીતસિંહ સોઢા પાસેથી લખમણભાઈ મંગાભાઈ પડસરીયાએ રૂ.૪ લાખ હાથઉછીના મેળવી તે ચેક આપ્યો હતો. તે ચેક બેંકમાંથી અપૂરતા નાણા ભંડોળના શેરા સાથે પરત ફરતા અદાલતમાં ભરતસિંહે ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતા અદાલતે આરોપી લખમણભાઈ પડસરીયાને તકસીરવાન ઠરાવી ૧૨ મહિનાની કેદ તથા ચેકની રકમ મુજબનું વળતર ચૂકવી આપવાનો હુકમ કર્યાે છે. રકમ ભરવામાં ન આવે તો વધુ ત્રણ મહીનાની સજાનો આદેશ કરાયો છે. ફરિયાદી તરફથી વકીલ મનોજ નંદા, રક્ષીત હીરપરા રોકાયા હતા.
જામનગરના જયંતિભાઈ વેલજીભાઈ ભીંડી નામના સોની વેપારીને પૈસાની જરૂર પડતા તેણે ભાવેશ કાંતિભાઈ ફલીયા પાસેથી રૂ.૫૦ હજાર હાથઉછીના લીધા હતા. તેની ચૂકવણી માટે આપેલો ચેક પરત ફરતા જયંતિભાઈ ભીંડી સામે અદાલતમાં ફરિયાદ કરવામાં આવી હતી. આ કેસ ચાલી જતાં જયંતિભાઈએ કોઈ રકમ હાથઉછીની મેળવી નથી તેવી દલીલ કરી હતી. તેની સામે આ રકમ ઉછીની આપી હોવાના લેખિત દસ્તાવેજી પુરાવા રજૂ કરાતા અદાલતે આરોપી જયંતિભાઈ વેલજીભાઈ ભીંડીને તકસીરવાન ઠરાવી પાંચ મહિનાની સજા અને ચેકની રકમ વળતર પેટે ચૂકવી આપવા હુકમ કર્યાે હતો. તે હુકમ સામે ઉપરની કોર્ટમાં અપીલ કરાઈ હતી. તે અપીલમાં નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખવામાં આવ્યો છે અને સાત દિવસમાં અદાલતમાં હાજર થવા ફરમાન કરાયું છે. ફરિયાદી તરફથી વકીલ અશોક નંદા, પૂનમ પરમાર રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial