Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રી દ્વારા
ખંભાળીયા તા. ૧: દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ મહામંત્રી તથા આહિર જ્ઞાતિના અગ્રણી ભરતભાઈ ગોજીયાએ રાજ્યના કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને ટેકાના ભાવે મગફળીની ખરીદી બાબતે વિસ્તૃત રજૂઆત કરી છે.
તેમણે જણાવેલ કે હાલ ગુજરાતમાં નવ લાખ જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવેલું છે. જેમને સરકારે જાહેર કર્યા મુજબ ખેડૂતો પાસેથી ૭૦ મણ મગફળીની ખરીદી કરવાની છે. આ વર્ષે ખૂબ સારો અને સમયસર વરસાદ થતાં ખેડૂતોને મગફળીનો પાક ખૂબજ સારો થવાની સંભાવના છે. ત્યારે જો ખેડૂત દીઠ ૭૦ મણ મગફળી જ લેવામાં આવે તો ખેડૂતો વેચાણનો બહિષ્કાર કરે તથા હાલ જે મગફળીના ભાવ તળીએ છે તે વધુ નીચા જશે અને ખેડૂતો માટે ટેકાના ભાવે મગફળી જ આધારરૂપ હોય, ખેડૂતો દીઠ ૭૦ મણના બદલે ગત વર્ષની જેમ અઢીસો મણ ખરીદી થાય તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial