Advertisement
Author: નોબત સમાચાર

ભારત-પાકિસ્તાન મેચ રદ્દ કરવાની માંગ કરતી અરજી ફગાવતી સુપ્રિમકોર્ટ

આગામી તા. ૧૪ સપ્ટેમ્બરે યોજાનારી

                                                                                                                                                                                                      

નવી દિલ્હી તા. ૧૧: સુપ્રિમ કોર્ટે ૧૪ સપ્ટેમ્બરના યોજાનારી ભારત-પાકિસ્તાન ટી-ર૦ મેચ રદ્ કરવા મામલે સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, મેચ થવા દો, અમે તેને રોકીશું નહીં. એલએલબીના ચાર વિદ્યાર્થી દ્વારા પહલગામ આતંકી હુમલા સહિત અન્ય ઘટનાઓનો હવાલો આપતા પાકિસ્તાન સાથે યોજાનારી મેચ રોકવા અપીલ કરવામાં આવી હતી.

સુપ્રિમ કોર્ટે આ અપીલ પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઈનકાર કર્યો   હતો. ભારત અને પાકિસ્તાન વચ્ચે ૧૪ સપ્ટેમ્બરના દુબઈમાં એશિયા કપની ટી-ર૦ મેચ યોજાવાની છે. જસ્ટિસ જેકે મહેશ્વરી અને જસ્ટિસ વિજય બિશ્નોઈની બેન્ચ સમક્ષ આ મામલે અરજી થઈ હતી કે, 'રવિવારે મેચ યોજાવાની છે. આથી અપીલને શુક્રવારે લિસ્ટ કરવામાં આવે.' આ અંગે કોર્ટે કહ્યું કે, 'અમે રોક મૂકીશું નહીં, મેચ થવા દો.' વકીલે ફરીથી સુપ્રિમ કોર્ટ સમક્ષ આ મામલે તાત્કાલિક સુનાવણી કરવાની માગ કરી હતી, પરંતુ કોર્ટે તેનો ઈનકાર કર્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh