Advertisement
Author: નોબત સમાચાર

કાળિયા ઠાકોરને વામન સ્વરૂપના શ્રૃંગાર સાથે નૂતન ધ્વજારોહણ-મહાઆરતી યોજાઈ

દ્વારકામાં વિજય વિરાટ દિનની ઉજવણીઃ

                                                                                                                                                                                                      

દ્વારકા તા. ૪: યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરે ધામધૂમપૂર્વક વિજય વિરાટ દિનની ઉજવણી કરવામાં આવી હતી. વારદાર પૂજારી દ્વારા કાળિયા ઠાકોરને વામન સ્વરૂપ અવતારના વિશેષ શ્રૃંગાર કરાયા હતાં, તેમજ જગતમંદિરના શિખરે એક દિવસની વિજય, ધ્વજા તરીકે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે.

યાત્રાધામ દ્વારકામાં ભાદવર સુદ-૧ર વામન દ્વાદશીના વિજય વિરાટ દિનની ઉજવણી કરવામાં આવી હતી. ઉલ્લેખનિય છે કે, દ્વારકા નગરી ઉપર આજથી ૬૧ વર્ષ પહેલા ૧૯૬પ ની સાલમાં ભારતના દુશ્મન દેશ પાકિસ્તાન દ્વારા જગત મંદિરનું નિશાન લઈ બોમ્બમારો કરવામાં આવ્યો હતો, પરંતુ જ્યારે પાકિસ્તાન દ્વારા મંદિરને ઊડાડવા માટે દરિયાઈ માર્ગેથી સર્વે કરવા માટે આવ્યા હતાં. તે સમયે દરિયાઈ પાણીમાં ઓટ હતી તે સમયે પાણીનું સ્તર નિચું હતું અને દ્વારકા નગરી પર બોમ્બમારો કરવામાં આવ્યો ત્યારે દરિયાઈ પાણીમાં ભરતી હોવાથી પાણીનું સ્તર ઊંચુ હોવાથી ૧પ૬ જેટલા બોમ્બ આજુબાજુના ગામડાઓમાં પડ્યા હતાં અને દ્વારકા નગરીની એક પણ કાંકરી હલી ન હતી તેથી દર વર્ષે દ્વારકા જગત મંદિરે વિજય વિરાટ દિનની ઉજવણી કરવામાં આવે છે. દ્વારકાધીશ જગત મંદિરે બ્રાહ્મણો દ્વારા વિષ્નુ સહસ્ત્રના પાઠ તેમજ જગત મંદિરના શિખરે નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. પૂજારી પરિવાર દ્વારા બપોરના ૧ર ના ટકોરે કાળિયા ઠાકોરની વિશેષ વિજય વિરાટ દિન નિમિત્તે મહાઆરતી કરવામાં આવી હતી. એક દિવસ માટે વિજય ધ્વજ તરીકે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh