Advertisement
Author: નોબત સમાચાર

ભાણવડમાં ટેકાના ભાવે મગફળી વેંચવાની ખેડૂતોની નોંધણી ખોટી રીતે રદ્ થયાની રાવ

'આપ'નું મામલતદારને આવેદનપત્રઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૧૮: દ્વારકા જિલ્લાના ભાણવડમાં મગફળી પાકની નોંધણી ખોટી રીતે રદ્ કરવા સામે વિરોધ આમ આદમી પાર્ટીનું આવેદન આપ્યું છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ વિસ્તારમાં ખેડૂતો મગફળી પાક માટે ટેકાના ભાવે કરાયેલા રજિસ્ટ્રેશન રદ્ થતાં હોય, રોષની લાગણી સાથે આમ આદમી પાર્ટી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને તાકીદે ન્યાય આપવા માગ કરાઈ હતી.

દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી દ્વારા મામલતદારને અપાયેલા આ આવેદનપત્રમાં જણાવાયેલ કે ભાણવડ તાલુકાના ખેડૂતો દ્વારા મગફળી પાક માટે ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર નોંધણી કરાય છે તેવા ખેડૂતોને પણ સેટેલાઈટ ઈમેજના ખોટા અહેવાલ બાબતે રોષ સાથે ભારે વિરોધ વ્યક્ત કરાયો હતો.

ખેડૂતો આર્થિક તકલીફમાં હોય, તથા અવારનવાર કુદરતી હવામાનની થપેટમાં નુક્સાન થાય છે, તયારે ખેડૂતોના રજિસ્ટ્રેશન આવી રીતે રદ્ કરવા યોગ્ય નથી.

ખેડૂતોએ આવેદનપત્ર આપીને તાકીદે ડિજિટલ ક્રોપ સર્વે કરીને સાચી હકીકત જાહેર કરવા, ખેડૂતોની ખોટી રીતે રદ્ કરાયેલ નોંધણી પુનઃ માન્ય કરવા, ખોટા સેટેલાઈટ ઈમેજના અહેવાલ આપનાર અધિકારી-કર્મચારીની સામે પગલાં લેવા અને ટેકાના ભાવે ખરીદીનો લાભ આપવા માંગ કરાઈ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh