Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ચાંદી મઢીત પીપળેશ્વર મહાદેવના મંદિરે શ્રાવણ માસના પ્રથમ દિવસે કરાયું ધ્વજાપૂજન

સૂર્યનારાયણ મંદિરના પૂજારીના હસ્તે પૂજનવિધિ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: જામનગરમાં સેન્ટ્રલબેંક રોડ, ધ્રુવફળી, શેરી નં.૧માં આવેલા અતિપૌરાણિક અને સુપ્રસિદ્ધ ચાંદીથી મઢાયેલા પીપળેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે સંપન્ન થયેલ ધ્વજાજી પૂજાનો યજમાન સેતુલભાઈ એસ.વારીયા તથા તેમનો પરિવાર તેમજ નયન ભરતભાઈ સાહોલીયા તેમના પરિવારે લાભ લીધો હતો. એડવોકેટ પાર્થ ડી.સામાણી તેમના પત્ની વિભુતીબેન તેમજ શારડા ફોરેક્સ પરિવારના હરીઓમભાઈ, રામભાઈ શારડા તેમજ પીપળેશ્વર મહાદેવ મિત્રમંડળના તમામ સભ્યો પરિવારજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને શારડા ફોરેકસ પરિવાર દ્વારા પીપળેશ્વર મહાદેવ મિત્રમંડળને આર્થિક સહયોગ મળ્યો હતો. વોર્ડ નં.૧૩ના કોર્પોરેટર, વિરોધપક્ષના નેતા ધવલભાઈ એસ.નંદાનો શુભેચ્છા સંદેશ સાથે આર્થિક સહયોગ પણ મળ્યો હતો. આ તમામ પૂજાવિધિ સૂર્યનારાયણ મંદિરના પૂજારી દધીજી મહારાજ દ્વારા કરાવવામાં આવી હતી. તસ્વીરમાં ધ્વજાજી પૂજાના મુખ્ય યજમાન તથા મહિલા મંડળ તથા પીપળેશ્વર મહાદેવ મિત્રમંડળ તથા શિવભક્તો પરિવારના સભ્યો સાથે દૃષ્ટિમાન થાય છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh