Advertisement
Author: નોબત સમાચાર

દાહોદ પંથકના અપહરણના આરોપીને જામનગરના સપડામાંથી ઝડપી લેવાયો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૨: દાહોદ પંથકમાંથી યુવતીનું અપહરણ કરી નાસી છૂટેલો આરોપી જામનગર પંથકમાં આવ્યો હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે સપડાની એક વાડીમાંથી ઝડપી લીધો હતો અને તેની સાથે ભોગ બનનારનો પણ કબજો મેળવ્યો હતો.

જામનગર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, દાહોદના સુખસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુન્હામાં નાસતો ફરતો આરોપી અશ્વીન નવીનભાઈ ગરાસીયા (રહે. બાબરોલ, તા. સંતરામપુર, જિ. મહિસાગર) હાલ સપડા, જામનગર ગામમાં એક વાડીમાં ખેતમજૂરી કામ કરે છે તેવી બાતમીના આધારે એસઓજી પોલીસ સ્ટાફે દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો. આ ઉપરાંત ભોગ બનનારનો પણ પોલીસે કબજો મેળવ્યો હતો. જામનગર પોલીસ દ્વારા આરોપી બાબતની જાણ દાહોદ પોલીસને કરવામાં આવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh