Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં વહાણોની ઈમીગ્રેશન પ્રક્રિયા બંધ થતા અર્થતંત્રને અસર

૪૦ વહાણો મંજુરીની રાહમાં

                                                                                                                                                                                                      

સલાયા તા. ૧૯: ખંભાળીયા તાલુકાના સલાયમાં ઈમીગ્રેશનની કામગીરી બંધ કરવામાં આવી છે . પરિણામે ૪૦ જેટલા વહાણો અટકી પડયા છે. આથી અર્થતંત્રને ફટકો પડ્યો છે. ઈન્ડિયન સેલીંગ એસોસિએશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાના જણાવ્યા મુજબ હાલમાં દરીયાઈ વેકેશન પૂર્ણ થયું છે. આ પછી તા. ૧લી સપ્ટેમ્બરથી અમુક વહાણ માલ-સામાન ભરીને વિદેશ જવા રવાના થયા હતા. જેમાં નિયમ મુજબ ઈમીગ્રેશન પ્રક્રિયા થઈ હતી. આ પછી સલાયામાં કોઈ કારણોસર ઈમીગ્રેશન કામગીરી બંધ કરાઈ હતી. એ પછી રાજકોટ આઈ.વી.ને સત્તા સોંપાઈ હતી. જે તા. ૮-૯-૨૫ સુધી ચાલી હતી. આ પછી કામગીરી બંધ કરી હતી.

પરિણામે  તા. ૯-૯-૨૫થી આ કામગીરી બંધ છે. તેથી સલાયાના ૪૦ વહાણો પોરબંદર, બેડી, મુન્દ્રા જેવા બંદરોમાં હજારો ટન ખાદ્ય સામગ્રી જેવી કે ચોખા, ખાંડ, મગફળી ભરીને ગલ્ફના દેશોમાં જવા માટે મંજુરીની રાહમાં છે. સલાયામાં ઈમીગ્રેશન કામગીરી બંધ થતા આ વહાણો અટકી ગયા છે. આથી વિદેશી વેપારને અસર થવા પામી છે.

રાજકોટ આઈ.વી. દ્વારા અચાનક ઈમીગ્રેશન કામગીરી બંધ કરી દેવાતા આ સ્થિતિ સર્જાઈ છે.

સલાયામાં ઈમીગ્રેશન કામગીરી નહીં થતા હવે આ માલનો જથ્થો વિદેશી વેસલ્સમાં જશે અને સલાયાના વહાણ ઉદ્યોગને જબરો આર્થિક ફટકો પડશે. આથી સત્વરે ઈમીગ્રેશન પ્રક્રિયા શરૂ કરવા ઈન્ડિયન વેસલ્સ એસોસિએશનના જનરલ સેક્રેટરી આદમ ભાયાએ સંબંધિત તંત્રને અમલ કરવા માંગ કરી છે.

લાકડાના વહાણોમાં વાર્ષિક અંદાજે પાંચ લાખ ટન માલ વિદેશમાં મોકલાય છે. સરકાર સી.ઈકોનોમી ડેવલપ કરવા પ્રયત્ન કરે છે. આ સી.ઈકોનોમીમાં જેનો અગત્યનો હિસ્સો છે તેવા વહાણોની ઈમીગ્રેશન પ્રક્રિયા જ અટકી પડેલ છે. હાલ દેશમાં કાર્ગો પરિવહન કરતા વહાણોની અછત છે, અને ઈમીગ્રેશનના કારણે કરોડો રૂપિયાના વિદેશી વેપારનું નુકસાન થશે. જેથી સીધી અસર ભારતના અર્થતંત્ર ઉપર થશે. આથી તુરંત આ પ્રક્રિયા શરૂ કરવી જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh