Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં ફરસાણની દુકાનમાં આખલો ઘૂસી જતાં ભારે નુકસાની..!

સલાયામાં આખલાઓનો ત્રાસ!

                                                                                                                                                                                                      

સલાયા તા. ૧૯: સલાયામાં છેલ્લા ઘણાં સમયથી રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે. જેમાં આખલા બેફામ બન્યા છે. આ આખલાઓનો ત્રાસ એટલો વધ્યો છે કે મોટી ઉંમરના લોકો અને બાળકો રસ્તા ઉપર નીકળતા ડરે છે. થોડા થોડા દિવસે આખલા યુદ્ધ સલાયાની બજારોમાં સામાન્ય બન્યા છે. કેટલાય લોકોને આ આખલાના યુદ્ધ દરમિયાન નાની-મોટી ઈજાઓ થાય છે અને મુશ્કેલીમાં મૂકાય છે.

હાલમાં જ સલાયામાં મેઈન બજારમાં આવેલ શિવમ ફરસાણની દુકાનમાં વેપારી જ્યારે શાંતિપૂર્વક ધંધો કરી રહ્યો હતો ત્યારે અચાનક બે આખલા રસ્તા ઉપર ઝઘડતા હતાં અને આ યુદ્ધ દરમિયાન એક મહાકાય આખલો ભારે સ્પીડ સાથે આ ફરસાણની દુકાનમાં આવી ચઢ્યો હતો. જ્યાં ઊભેલા ગ્રાહકો અને વેપારી ડરીને ભાગ્યા હતાં.

આ આખલાએ દુકાનનમાં ઘૂસી અને ભારે નુકસાની કરી હતી. મીઠાઈ અને ફરસાણના ડબ્બાઓ અને અન્ય ફર્નિચર તોડી નાખ્યા હતાં. સદ્નસીબે બહુ કોઈને લાગ્યું ન હતું પણ દુકાનદારને ભારે નુકસાની આવી હતી. તંત્ર દ્વારા જાહેર રસ્તાઓમાં રખડતા આખલાઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવા કોઈ નક્કર પગલાં લે તેવી માંગણી ઉઠવા પામી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh