Advertisement
Author: નોબત સમાચાર

ગાંધીજીની વંદના સાથે ટાઉનહોલથી તળાવની પાળ સુધી 'સ્વચ્છતા વોકેથોન'

જામનગરમાં મહાનગર૫ાલિકા દ્વારા ગાંધી જ્યંતીની ઉજવણી

                                                                                                                                                                                                      

જામનગરમાં આજે મહાનગરપાલિકા દ્વારા ગાંધી જ્યંતીની ઉજવણી નિમિત્તે સ્વચ્છતા વોકેથોન સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. સૌપ્રથમ સત્તાધીશો-અધિકારો સહિતના મહાનુભાવો દ્વારા ટાઉનહોલ સંકુલમાં આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમાને સૂતરની આંટી અર્પણ કરવામાં આવી હતી. એ પછી સ્વચ્છતા વોકેથોનને લીલી ઝંડી આપવામાં આવી હતી. વોકેથોન ટાઉનહોલથી આરંભ થઈ તળાવનીપાળે રણમલ તળાવ ગેઈટ નં. ૧ પાસે પહોંચી પૂર્ણ થઈ હતી. બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ વોકેથોનમાં જોડાયા હતાં. રણમલ તળાવ ગેઈટ નં. ૧ પાસે સ્વચ્છતા સંબંધિત શેરી નાટક પ્રસ્તુત કરવામાં આવ્યું હતું તથા પ્રોત્સાહક ઈનામોનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ સફાઈ કર્મચારી દ્વારા ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. મેયર વિનોદભાઈ ખીમસૂર્યા, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, ડે.મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટે. કમિટી ચેરમેન નિલેશભાઈ કગથરા, શાસકપક્ષના નેતા આશિષભાઈ જોશી, શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી સહિતના રાજકીય આગેવાનો તથા કમિશ્નર ડી.એન. મોદી સહિતના અધિકારીઓ સમગ્ર ઉજવણીમાં જોડાયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh