Advertisement
Author: નોબત સમાચાર

સાધના કોલોનીના હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોનું રાજ્ય સરકાર કરશે પુનઃ નિર્માણ

ધારાસભ્ય દિવ્યેશ અકબરીની રજૂઆત ફળી

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૦: જામનગરના સાધના કોલોની વિસ્તારના હાઉસિંગ બોર્ડના જર્જરિત મકાનોનું નવ નિર્માણ રાજ્ય સરકાર દ્વારા કરાશે. ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ કરેલી રજૂઆતને સફળતા મળી છે.

જામનગરના રણજીત સાગર રોડ પર સાધના કોલોની વિસ્તારમાં આવેલી હાઉસિંગ બોર્ડની કોલોનીના જર્જરીત મકાનો, કે જેનું રાજ્ય સરકાર દ્વારાજ પુનઃ નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ આ બાબતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરી હતી, જેને સફળતા સાંપડી છે, અને રાજ્ય સરકાર દ્વારા આ નવા મકાનો તૈયાર કરી આપવા નક્કી કરાયું છે. જેની મુખ્યમંત્રી દ્વારા જાહેરાત પણ કરાશે.

 જામનગરના રણજીતસાગર માર્ગ પરના  ત્રણ દાયકાથી વધુ જૂની એવી સાધના કોલોનીનું હાઉસિંગ બોર્ડ દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. અને લોકોને આ આવાસોની ફાળવણી કરવામાં આવી હતી, પણ સમય જતાં આ કોલોની જર્જરિત થવા લાગી અને કેટલાક બિલ્ડીંગોનો કેટલોક ભાગ તુટ્યો તો કેટલાક સંપૂર્ણ ધરાશાયી થયા હતા. થોડા સમય પૂર્વે આખોય બ્લોક જર્જરિત થઇ જતાં ત્રણ લોકોના મૃત્યુ પણ થયા હતા .જે બાદ એક ભાગ તૂટી જવાથી વધુ એક વ્યક્તિનું મોત થયું હતું .ત્યારે વધુ લોકો અહી મોતને ના ભેટે કે ઈજાગ્રસ્ત ના બને, તે માટે આ સોસાયટીને રી ડેવલોપમેન્ટ કરવાની વિચારણાઓ ચાલતી હતી,

હાઉસિંગ બોર્ડ પણ આ બાબતે નોટીસ આપવા સિવાય કોઈ રસ દાખવતું નહોતું, ત્યારે ધારાસભ્ય દિવ્યેશ અકબરી એ  મુખ્યમંત્રી સાથે આ બાબતે પરામર્શ કર્યો, અને આ વિસ્તારના લોકોને નવા આવાસો સરકારી ખર્ચે બનાવી આપવા વિસ્તૃત રજૂઆત કરી હતી. જેનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સ્વીકાર કર્યો છે.

 આ અંગે ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વસવાટ કરતા લોકોનું હિત ધ્યાને લઈને મુખ્યમંત્રી સમક્ષ મુકવામાં આવેલી બાબતોનો કમિટીએ અભ્યાસ કર્યો છે, અને આ અંગે મંજુરી આપી છે. અને ગુજરાતમાં પ્રથમ વખત પીપીપી ધોરણે નહિ પરંતુ સંપૂર્ણ સરકાર જ રી-ડેવલપમેન્ટ કરશે, અને જે હયાત મકાનો છે તેનાથી ૪૦ ટકા મોટા મકાનો મળશે. તેમ પણ ધારસભ્ય દિવ્યેશ અકબરીએ જણાવ્યું હતું.

વધુમાં તેમણે  કહૃાું કે જ્યાં સુધી ફ્લેટધારકોને નવા ફ્લેટ ના મળે ત્યાં સુધી માસિક ૫૦૦૦  મકાન ભાડું પણ આપવામાં આવશે.  રીડેવલપમેન્ટ નીતિ-૨૦૧૬  અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડની સાધના કોલોનીમાં આવેલ ૩૭૨  જર્જરિત મકાનોના પુનઃ નિર્માણની કામગીરી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh