Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગરના રાજપૂત સમાજના અગ્રણી બિપેન્દ્રસિંહ જાડેજાની અનોખી પહેલઃ
જામનગર તા. ૫: જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા રાજપૂત સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આગામી તા. ૮-૩-ર૦ર૬ ના દિને ર૬ મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં રાજપૂત સમાજના પચ્ચીસ યુગલો લગ્નગ્રંથીથી જોડાશે.
આ સમૂહલગ્નમાં જામનગર ચેમ્બર ઓફ કોમર્સના પૂર્વ ચેરમેન, હાલ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સેક્રેટરી, ગુજરાત ફેડરેશન એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રમુખ, જામનગર જિલ્લાના રાજપૂત સમાજના પ્રતિષ્ઠિત અગ્રણી ઉદ્યોગપતિ બિપેન્દ્રસિંહ જાડેજા (ડાડા) (ગામઃ ભણગોર) એ તેમના એકના એક સુપુત્ર ચિ. કર્મરાજસિંહના શુભલગ્ન પણ આ સમૂહલગ્નોત્સવમાં કરવાનો નિર્ણય કરી સમાજ માટે એક અનોખી પહેલ સાથે પ્રેરણાદાયી ઉદાહરણ પૂરૃં પાડ્યું છે.
ઓશવાળ સેન્ટરમાં યોજાનારા આ સમૂહ લગ્નનો સંપૂર્ણ ખર્ચ તેમજ મંડપ ડેકોરેશનના ખર્ચ માટે બિપેન્દ્રસિંહ જાડેજાએ આર્થિક યોગદાન આપ્યું છે. રાજપૂત સમાજના અન્ય દાતાઓ તરફથી કરિયાવરમાં કિંમતી વસ્તુઓની ભેટ આપવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial