Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગઈકાલે ધાર્મિક દબાણ દૂર કર્યા પછી તંત્રની કાર્યવાહી યથાવત્:
જામનગર તા. ૨૩: દ્વારકા-જામનગર હાઈવે પર ઉભા થઈ ગયેલા એક ધાર્મિક દબાણને ગઈકાલે તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યા ૫છી આજે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તંત્રનું બુલડોઝર અન્ય દબાણો પર ફરી વળ્યું હતું. જેમાં ચાર બાંધકામ દૂર કરવામાં આવ્યા છે. અગાઉ રૂ.૩૦૦ કરોડ ઉપરાંતની જગ્યા ખાલી કરાવાયા પછી વાણિજ્ય હેતુના બાંધકામ પર પણ તંત્રની તવાઈ ઉતરી છે.
દ્વારકા તાલુકાના ભીમરાણા પાસે સમુદ્ર કિનારે આવેલા એક ધાર્મિક દબાણને દસેક દિવસ પહેલાં પ્રાંત અધિકારી અમોલ આવટેના માર્ગદર્શન હેઠળ ખસેડવામાં આવ્યું હતું. તે પછી ગઈકાલે પણ તંત્ર દ્વારા પોરબંદર ધોરીમાર્ગ પર આવેલા અંદાજે ૯૦૦ ફૂટના ધાર્મિક દબાણ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.
દ્વારકાથી જામનગર તરફના ધોરીમાર્ગ પર આવેલુ આ ધાર્મિક દબાણ દૂર કરવા માટે તંત્રવાહકો ગઈકાલે સવારે પહોંચ્યા હતા. તેમની સાથે સુરક્ષામાં પોલીસ જવાનોને રાખવામાં આવ્યા હતા. જેસીબી મારફત આ દબાણ દૂર કરવામાં આવ્યું હતું. આ જમીનની કિંમત લાખોમાં આંકવામાં આવી રહી છે. ત્યારપછી ચરકલા રોડ પર આજે સવારે પ્રાંત અધિકારી અમોલ આવટે, મામલતદાર ભેડા, નાયબ મામલતદાર ઝાલા, ચીફ ઓફિસર ગઢવી સહિતના તંત્રવાહકો અને પોલીસ ટીમ દબાણ હટાવ માટે ધસી ગઈ હતી. ત્યાં આવેલા ચાર ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવ્યા છે. છેલ્લા સવા વર્ષથી મદદનીશ કલેક્ટર તરીકે ફરજ બજાવતા અમોલ આવટેએ સરકારી જમીન પર થયેલા દબાણો અને તેમાં પણ ખાસ કરીને વાણિજય હેતુના દબાણો પર કાયદાકીય કાર્યવાહી કરતા દબાણકારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial