Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અનેક સ્થળે ઓપરેશન સિંદૂર પર ગરબા આરતીઃ
જામનગર તા. ૨: જામનગરના પોલીસ જવાનોએ સેવા, સુરક્ષા અને સલામીનું ઉત્તમ ઉદાહરણ પુરૃં પાડયું હતું. શેઠવડાળા ગામે પોલીસે ચાલુ વરસાદે ગરબીની બાળાઓને સુરક્ષિત રીતે ઘરે પહોંચાડી હતી. ઓપરેશન સિંદુર ગરબા પર આરતી કરી જવાનોએ અનેક સ્થળે સલામતી આપી હતી.
રવિવારે રાત્રે ૧૧ વાગ્યે સમગ્ર ગુજરાતમાં 'ઓપરેશન સિંદૂર' ના ગરબાની ગુંજ ઉઠી હતી. ત્યારે જામનગર જિલ્લામાં રાત્રી દરમિયાન વરસાદનું વિઘ્ન હોવા છતાં અનેક જગ્યાઓએ ખેલૈયાઓએ ઓપરેશન સિંદુરના ગરબા કર્યા હતા. અને સેનાના જવાનોને સલામી પાઠવી હતી. ત્યારે જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના શેઠવડાળા ગામે શ્રી હરસિધ્ધિ ગરબી મંડળની બાળાઓ ગરબા રમવા પહોચી હતી અને અચાનક જ વરસાદ આવતા પોલીસના જવાનોએ સુરક્ષિત રીતે બાળાઓને પોલીસના વાહનમાં ઘરે પહોચાડી હતી.
બાદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઓપરેશન સિંદુર ગરબા પર રાત્રે ૧૧ કલાકે ગરબા રમવાનું આહ્વાન કરવામાં આવ્યું હતું તેને ધ્યાને લઇ પોલીસ તથા લોકો દ્વારા ઓપરેશન સિંદુર ગરબા પર માતાજીની આરતી કરી દેશના વીર જવાનોને સલામી આપી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial