Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાંથી લાપત્તા બનેલા બે બાળકો હાપામાં નાનીના ઘેરથી હેરખેમ મળી આવ્યા

ખંભાળિયામાં ગમતું ન હોવાથી નીકળી ગયા હતાઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૬: ખંભાળિયામાં રેલવે સ્ટેશન રોડ પરથી એક પરિવારના બે બાળકો ગુમ થઈ ગયાની પોલીસને જાણ કરાયા પછી તપાસના ચક્રો ગતિમાન કરાયા હતા. તેમાં આ બંને બાળકો જામનગરના હાપામાં નાનીના ઘેરથી મળી આવતા તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો છે.

ખંભાળિયા શહેરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં વસવાટ કરતા રાજેશભાઈ રતનભાઈ પરમાર નામના પ્રૌઢના પુત્ર પ્રવીણ (ઉ.વ.૧૧) તથા બબલુ (ઉ.વ.૬) નામના બે સંતાન મંગળવારે ગુમ થઈ ગયાની પોલીસને જાણ કરવામાં આવી હતી.

આ બંને બાળકોના અપહરણ થયાની આશંકાથી પોલીસે શરૂ કરેલી તપાસમાં કેટલાક સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવ્યા હતા. જેમાં આ બંને બાળકો જામનગરના હાપા વિસ્તારમાં હોવાની વિગત મળતા પોલીસ દોડી આવી હતી.

જામનગરના હાપાના ખારી વિસ્તારમાં અગાઉ વસવાટ કરતા રાજેશભાઈ પોતાના પરિવાર સાથે મજૂરીકામ માટે થોડા દિવસ પહેલાં જ ખંભાળિયા આવ્યા હતા પરંતુ ખંભાળિયામાં રહેવું ગમતું ન હોવાથી તેમના બંને સંતાનો ખંભાળિયાથી નીકળી જઈ હાપામાં નાનીના ઘેર ટ્રેનમાં પહોંચી ગયા હતા. જ્યાંથી આ બાળકોનો કબજો સંભાળી પોલીસે તેમના વાલીને સોંપ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh