Advertisement
Author: નોબત સમાચાર

કલ્યાણપુરમાં નવેક દિવસ બંધ પડેલા મકાનમાંથી ૧ લાખના દાગીના ચોરાયા

પોણા પંદર લાખનો વાયર ચોરાઈ ગયોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૯: કલ્યાણપુરના સતવારા વાડમાં નવેક દિવસ બંધ રહેલા એક મકાનમાંથી સાડા ત્રણ તોલાના દાગીના અને રૂ.પ હજાર રોકડાની ચોરી થઈ છે. જ્યારે નંદાણા ગામ પાસે પવનચક્કીના એક લોકેશન પરથી રૂ.પોણા પંદર લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી થઈ છે.

કલ્યાણપુરમાં સતવારા પાડામાં વસવાટ કરતા પ્રકાશભાઈ ચમનલાલ જોધપુરા નામના ધોબીકામ કરતા વૃદ્ધના મકનમાં ગઈ તા.૧૩ની સવારના પાંચ વાગ્યાથી તા.ર૩ની સાંજ સુધીમાં ચોરી થઈ છે.

ઉપરોક્ત સમય દરમિયાન પ્રકાશભાઈ પોતાના પરિવાર સાથે બહારગામ હતા ત્યારે ડેલીનું તાળુ તોડી, રસોડાની સ્ટોપર તોડી નાખી કોઈ શખ્સો ઘૂસી ગયા હતા. તેઓએ અંદર પડેલી તિજોરી તોડી તેમાંથી એક તોલા વજનની સોનાની ત્રણ વીટી, સોનાના બે તોલાના તૂટેલા ચેઈન, નાની કોથળીમાં રાખવામાં આવેલા સોનાના નાના મોટા દાગીના, કડી તેમજ સોનાના ચેઈનમાં રહેલા નકૂચા મળી સાડા ત્રણ તોલા દાગીનાની ચોરી કરી હતી. રૂ.૫ હજાર રોકડા પણ તસ્કરો ઉઠાવતા ગયા હતા. પોલીસે રૂ.૧ લાખ ૧૦ હજારની મત્તાની ચોરી કરનાર તસ્કરોના સગડ દબાવ્યા છે.

કલ્યાણપુરના નંદાણા ગામમાં વિન્ડફાર્મ કંપનીની પવનચકકીના ચાર નંબરના લોકેશન પરથી ગઈ તા.૯થી તા.૧૭ સુધીમાં રૂ.૧૪ લાખ ૮પ હજારનો ર૭૦૦ મીટર વાયર ચોરાઈ ગયો છે. મયુર હેભાભાઈ ડુવાએ ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh