Advertisement
Author: નોબત સમાચાર

નવ ઓગસ્ટે યજ્ઞોપવિત બદલવાનો કાર્યક્રમ

જામનગરના સાંઈબાબા મંદિર ગાંધીનગરમાં

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૯: શિરડી સાંઈબાબા મંદિર ગાંધીનગરમાં દરેક તહેવારોને અનુલક્ષી કાર્યક્રમો, જાહેર જનતાના આરોગ્યલક્ષી કાર્યક્રમો, વિદ્યાર્થીઓના સન્માનના કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. તેવી રીતે આ વર્ષે પણ રક્ષાબંધનના જામનગર શહેરમાં રહેતા સર્વ ભૂદેવો માટે જનોઈ બદલાવવાનો કાર્યક્રમ તા. ૯-૮-ર૦રપ, શનિવાર રક્ષાબંધનના યોજાશે. આ કાર્યક્રમમાં જામનગર શહેરમાં રહેતા કોઈપણ જનોઈધારી લોકો જોડાઈ શકે છે. યજ્ઞોપવિત બદલાવવાનો કાર્યક્રમ સવારે ૯ થી ૧૧ વાગ્યાનો રહેશે. પૂજાપો મંદિર તરફથી આપવામાં આવશે. કાર્યક્રમ પૂર્ણ થયે યજ્ઞોપવિત બદલાવવા આવેલ બ્રાહ્મણો માટે ભોજનનું આયોજન રાખવામાં આવેલ છે. શિરડી સાંઈબાબા મંદિર તરફથી કલ્પેશ રાવલએ જણાવેલ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh