Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના નાનાભાઈનું નિવેદન નોંધાયંુ:
જામનગર તા. ૨૮: કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામમાં એક ખેતરમાં મજૂરીકામ માટે આવેલા મૂળ મધ્યપ્રદેશના શ્રમિક ગઈકાલે ખેતરમાં ઘાસ વાઢતા હતા ત્યારે કોઈ રીતે ટ્રાન્સફોર્મર સાથે બાંધવામાં આવેલા તાણીયાને અડકતા અને તેમાંથી વીજ આંચકો લાગતા મોતને શરણ થયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરના ટંકારીયા ગામમાં રમેશભાઈ કંડોરીયા નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના ભયડીયા તાલુકાના વતની જાલમસિંગ કાલુસિંગ ચૌગાડ નામના ૩૯ વર્ષના શ્રમિક બુધવારે સાંજે તે ખેતરમાં ઘાસ વાઢી રહ્યા હતા.
આ વેળાએ નજીકમાં આવેલા વીજ કંપનીના ટ્રાન્સફોર્મર સાથે બાંધવામાં આવેલા તાણીયાને કોઈ રીતે જાલમસિંગ અડકી જતા તેઓને જોરદાર વીજ આંચકો લાગ્યો હતો. આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. તેમના નાનાભાઈ દિલીપસિંગ કાલુસિંગે પોલીસને જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial