Advertisement
Author: નોબત સમાચાર

ચાલુ નોકરીએ અવસાન થયેલા શિક્ષકોના આશ્રિતોને અપાશે સહાયઃ જુનો પ્રશ્ન ઉકેલાયો

ગુ.રા. નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રયાસો થકી

                                                                                                                                                                                                      

જામનગર તા. ર૩: ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘનો મહત્ત્વપૂર્ણ પ્રયાસ સફળ થયો છે, અને ૧૪ વર્ષ જુનો પ્રશ્ન ઉકેલાયો છે. ચાલુ નોકરીએ અવસાન પામનાર શિક્ષકોના આશ્રિતોને સહાય આપવાનો ઠરાવ થયો છે.

ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના સતત પ્રયાસો અને પાંચ વર્ષથી ચાલી રહેલી રજૂઆતોના પરિણામે મહાનગરપાલિકા અને નગરપાલિકા સમિતિઓના શિક્ષકોને લગતો ૧૪ વર્ષ જુનો પ્રશ્ન ઉકેલાયો છે.

ગુજરાત સરકારના શિક્ષક વિભાગ, શહેરી વિકાસ વિભાગ, સામાન્ય વહીવટી વિભાગ અને નાણા વિભાગ એમ ચાર વિભાગોના પરામર્શ પછી ચાલુ નોકરી દરમિયાન અવસાન પામેલા શિક્ષકોના આશ્રિતોને ર૦૧૧ અને ત્યારપછી રહેલા તમામ કેસોમાં ૪ લાખ, ૮ લાખ અને ૧૪ લાખ રૂપિયા ક્રમશઃ સહાયરૂપે આપવાનો મહત્ત્વપૂર્ણ ઠરાવ મંજુર થયો છે.

આ સહાય સરકારના નિયમો અનુસાર ગ્રાન્ટ સ્વરૂપે મળશે. સરકાર દ્વારા સત્તાવાર ઠરાવ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે. આ ઠરાવ મુજબ ર૦૧૧ થી ર૦૧૬ સુધીના અવસાનના કિસ્સામાં ૪ લાખ ર૦૧૬ થી ર૦રર સુધી ૮ લાખ ર૦રર પછી ૧૪ લાખ સહાય મળશે. આ સહાયની ૮૦ ટકા ગ્રાન્ટ રાજ્ય સરકાર અને ર૦ ટકા ગ્રાન્ટ મહાનગરપાલિકા ફાળવશે.

આ નિર્ણય બદલ ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘે સરકારના સંબંધિત ચારેય વિભાગો, મંત્રીઓ તેમજ તમામ અધિકારી વર્ગ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh