Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસને જાણ કરવામાં આવીઃ
જામનગર તા. ૮: કાલાવડના એક માનસિક અસ્થિર યુવાન ગયા મંગળવારે રણુજાના લોકમેળામાંથી ગુમ થઈ ગયાની પોલીસને જાણ કરવામાં આવી છે.
કાલાવડ શહેરના પટેલવાડી વિસ્તારમાં વસવાટ કરતા અશોકભાઈ રવજીભાઈ ગધેથરીયા ઉર્ફે કાનાભાઈ (ઉ.વ.૪૦) નામના યુવાન માનસિક બીમારીથી પીડાતા હતા.
આ યુવાન ગઈ તા.રના દિવસે રણુજામાં યોજાયેલા લોકમેળામાં ગયા પછી બાપા સિતારામ ગૌશાળા સ્ટોલ પાસેથી સાંજના સમયે લાપત્તા બન્યા છે. તેમના પારિવારિક ભત્રીજા પ્રિતેશ મનસુખભાઈ અકબરીએ પોલીસને જાણ કરી છે. ઉપરોક્ત યુવાન સાડા પાંચેક ફૂટની ઉંચાઈ, શ્યામવર્ણ ધરાવે છે. છેલ્લે તેણે કાળુ પેન્ટ અને ચેન્સવાળો શર્ટ ધારણ કરેલો હતો. આ યુવાન અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ કાલાવડ શહેર પોલીસ-૦૨૮૯૪-૨૨૨૦૩૩નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial