Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખ્યાતનામ કલાકારો પ્રસ્તુત કરશે રામચરિત માનસના વિવિધ પ્રસંગઃ
જામનગર તા. ૨૯: શારદીય નવરાત્રિમાં નવમા નોરતે તા. ૧-૧૦-૨૫ના રાત્રે ૯:૩૦ કલાકે સનાતન નવરાત્રિ ઉત્સવ અંતર્ગત જાણીતા દિગ્દર્શક-એન્કર લલિતભાઈ જોષી દ્વારા 'રામલીલા'નું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ તદ્દન નિઃશુલ્ક છે. પરંતુ વ્યવસ્થા જાળવણી માટે પાસ રાખવમાં આવ્યા છે. કાર્યક્રમ નિહાળવા ઈચ્છતા લોકો તા. ૧-૧૦-૨૫ના સાંજે ૫ થી ૭ દરમ્યાન ટાઉનહોલ પરથી નિઃશુલ્ક પાસ મેળવી શકશે. 'રામલીલા' માં ખ્યાતનામ કોરીયોગ્રાફર મુદ્રા ગ્રુપના ડો.નેહાબેન શુક્લા દ્વારા નૃત્ય સંયોજન કરવામાં આવ્યું છે તથા લેખન અને દિગ્દર્શન કરણ ઉપાધ્યાય દ્વારા કરવામાં આવ્યું છે. સ્થાનિક કલાકારો ઉપરાંત વડોદરાના કલાકારો પણ આ કાર્યક્રમમાં પોતાની કલાના ઓજસ પાથરી રામ વંદના કરશે. દિલ્હી અને ઉત્તર ભારતમાં પ્રસિદ્ધ રામલીલાનો કોન્સેપ્ટ 'છોટીકાશી' જામનગરમાં પણ આવી રહ્યો છે ત્યારે રામચરિત માનસ આધારિત પ્રસંગોને નૃત્યનાટિકા રૂપે માણવાનો ધર્મપ્રેમી જનતાને અનેરો અવસર નિઃશુલ્ક મળી રહ્યો છે ત્યારે દશેરાની પૂર્વ રાત્રિએ ધર્મ, સંસ્કૃતિ અને કલાનાં ત્રિવેણી સંગમ સમાન કાર્યક્રમનો લાભ લેવા જનતાને જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial