Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ગટરમાં ગંદા પાણી વિતરણ મુદ્દે
જામનગર તા. ૨૪ ઃ જામનગરની શિવમ સોસાયટીના બહેનોએ નળ વાટે ગટરના મિશ્રિત પાણી આવતા હોવાના મુદ્દે ગઈકાલે મહિલાઓએ ચક્કાજામ કર્યા પછી આજે કમિશનર કાર્યાલયમાં રજૂઆત માટે પહોંચ્યા હતા.
સત્યમ કોલોની, શિવમ સોસાયટીમાં નળ વાટે વિતરણ થતા પાણીમાં ગટરના ગંદા પાણી ચાર માસથી વિતરણ થતું હોવાના પ્રશ્ને ગઈકાલે બહેનોએ રસ્તા રોકો આંદોલન કર્યું હતું. આખરે સમજાવટ પછી આંદોલન પૂર્ણ કરાયું હતું. પરંતુ પ્રશ્નોનો ઉકેલ નહીં આવતા. આજે ફરી વખત બહેનોનું ટોળું મહાનગર પાલિકા કચેરીએ પહોંચ્યું હતું અને કમિશનર સમક્ષ રૃબરૃ આક્રમક રજૂઆતો કરી હતી.
આ રજૂઆત માટે આવનારા લોકોના ટોળામાં એક ભાઈએ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે દેશની આઝાદીના ૭૭ વર્ષ પછી પણ પીવાનું શુદ્ધ પાણી અપાતું નથી, આમાં વિશ્વગુરૃ બનવાના વાતોના વડા કરવા કેટલા યોગ્ય છે ?
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial