Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા
જામનગર તા. ૩: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા મનસ્વી રીતે કોલેજોના પ્રોફેસરોને પીએચ.ડી.ના ગાઈડ તરીકે માન્યતા આપવામાં આવતી નથી. આથી સૌ. યુનિ.માં પીએચ.ડી.ના વિદ્યાર્થીઓ માટે માત્ર ૧૦પ જ બેઠકો છે અને વિદ્યાર્થીઓ તેમજ કોલેજના પ્રોફેસરોને અન્યાય થઈ રહ્યો છે. આ પ્રશ્ને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ સૌ. યુનિ.માં કોલેજોના પ્રોફેસરને પીએચ.ડી. ગાઈડની માન્યતા આપવા તથા પીએચ.ડી. વિદ્યાર્થીઓની બેઠક વધારવા રજૂઆત કરી છે અને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચિમકી આપી છે.
રાજ્યની અન્ય તમામ યુનિવર્સિટીઓમાં કોલેજના પ્રોફેસરોને પીએચ.ડી. માર્ગદર્શક તરીકે માન્યતા આપવામાં આવે છે. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં તાજેતરમાં પ૮૬ બેઠકો જાહેર થઈ છે, જ્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફક્ત ૧૦પ બેઠકો જ જાહેર થઈ છે. એ સાથે નવા માર્ગદર્શકોને મંજુરી આપવામાં આવતી નથી તથા કોલેજના પ્રોફેસરોને પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર તરીકે પણ માન્યતા આપવામાં આવતી નથી.
આ નિર્ણયના કારણે વિદ્યાર્થીઓને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં માર્ગદર્શકો મળતા નથી અને તેમને મજબૂરીમાં ખાનગી યુનિવર્સિટીઓમાં પ્રવેશ લેવા જવું પડે છે, જ્યાં તેમને ર થી ૪ લાખ રૂપિયા જેટલી ઊંચી ફી ચૂકવવી પડે છે. પરિણામે વિદ્યાર્થીઓ પર ભારે આર્થિક બોજો પડે છે અને રાજ્ય સરકારની જાહેર શિક્ષણ પ્રણાલી ઉપર સીધી આંચ આવે છે. જો તાત્કાલિક આ બાબતે યોગ્ય પગલાં નહીં લેવામાં આવે તો વિદ્યાર્થીઓના હિત માટે ધારાસભ્ય હેમંત ખવા દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચિમકી આપી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial