Advertisement
Author: નોબત સમાચાર

જી.જી. હોસ્પિટલના યૌનશોષણ પ્રકરણમાં આરોપીનો થયો છૂટકારો

સુપરવાઈઝરની ફરમાવાઈ મુક્તિઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચકચારી બનેલા યૌનશોષણ પ્રકરણમાં આરોપી પૈકીના સુપરવાઈઝરનો અદાલતમાં છૂટકારો થયો છે.

જામનગરની જી.જી. હોસ્પિટલમાં કોરોનાકાળ વખતે કેટલાક મહિલા કર્મચારીઓનું યૌનશોષણ કરાતું હોવાની બુમ ઉઠી હતી. તેની શરૂ થયેલી તપાસમાં એચઆર મેનેજર લોમેશ બાબુભાઈ ચાંડેગરા અને સુપરવાઈઝર અકબરઅલી આમદ નાયક સામે ગુન્હો નોંધાયો હતો.

ઉપરોક્ત કેસ ચાલી જતાં અદાલતે આરોપી પૈકીના સુપરવાઈઝર અકબરઅલી નાયકનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ સંજય દાઉદીયા, ભાવિકા જોષી, બ્રિજરાજસિંહ જાડેજા રોકાયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh