Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પ્રાર્થના ફાઉન્ડેશનમાંથી રૂ.૧ લાખની સહાયઃ
જામનગર તા. ૬: ભાણવડમાં એક ખેડૂતે માવઠાનો માર સહન ન થતાં તાજેતરમાં આત્મહત્યા વ્હોરી લીધી હતી. તેમના પરિવારની મુલાકાતે દોડી આવેલા આમ આદમી પાર્ટી-ગુજરાતના અગ્રણી નેતાએ તે પરિવારની મુલાકાત લઈ સાંત્વના પાઠવવા ઉપરાંત પોતાના ફાઉન્ડેશનમાંથી રૂ.૧ લાખ આપવાની જાહેરાત કરી સંવેદના વ્યક્ત કરી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડમાં એક ખેડૂતે આત્મહત્યા કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવતા અરેરાટી પ્રસરી ગઈ હતી. માવઠાના કારણે પાક નિષ્ફળ જતા અને ભરવાની બાકી લોનના દબાણના કારણે તાણ અનુભવતા કરશનભાઈ નામના ખેડૂતે જીવન ટૂંકાવી લીધુ હતું. ઉપરોક્ત બનાવની જાણ થતાં આમ આદમી પાર્ટીના અગ્રણી નેતા ઈસુદાન ગઢવી ભાણવડ દોડી આવ્યા હતા. તેઓએ મંગળવારે સદ્ગત ખેડૂતના પરિવારની મુલાકાત લઈ વિગતો મેળવી હતી અને આ પરિવારને ઈસુદાન ગઢવીના પ્રાર્થના ફાઉન્ડેશનમાંથી રૂ.૧ લાખ આપવાની જાહેરાત કરી હતી. આ ખેડૂતનો પુત્ર હાલમાં અભ્યાસ કરી રહ્યો છે અને ઘરના મોભીએ ચિરવિદાય લેતાં આ પરિવાર પાસે હાલમાં આવકનો કોઈ સ્ત્રોત રહ્યો નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial