Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જે તે વખતે આરોપીની પોલીસે કરી હતી ધરપકડઃ
જામનગર તા. ૨૧: જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં સાત વર્ષ પહેલાં એડવોકેટની થયેલી હત્યાના ગુન્હામાં જે તે વખતે પોલીસે કેટલાક આરોપીઓની ધરપકડ કરી હતી. તે પૈકીના અમદાવાદના એક આરોપીએ જામીનમુક્ત થવા હાઈકોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજી વડી અદાલતે રદ્દ કરી છે.
જામનગરના ટાઉનહોલ વિસ્તારમાં વર્ષ ૨૦૧૮માં જાણીતા વકીલ કિરીટભાઈ જોષીની કરપીણ હત્યા કરવામાં આવી હતી. મોટરસાયકલ પર ધસી આવેલા બે શખ્સ પૈકીના એક શખ્સે વાહન ચાલુ રાખ્યું હતું અને બીજા શખ્સે તેમાંથી ઉતરીને ખચાખચ છરીના ઘા ઝીંકી કિરીટ જોષીને મોતને ઘાટ ઉતારી દીધા હતા.
ઉપરોક્ત બનાવ અંગે એડવોકેટ અશોક જોષીએ પોતાના ભાઈની હત્યા નિપજાવાઈ હોવાની ફરિયાદ નોંધાવી હતી. જે તે વખતે શરૂ થયેલી તપાસમાં પોલીસે જયસુખ મુળજીભાઈ રાણપરીયા ઉર્ફે જયેશ પટેલના ઈશારે હત્યા થઈ હોવાનું ફરિયાદમાં જણાવાતા તે દિશામાં તપાસ આદરી હતી અને અમદાવાદના દિલીપ નટવરલાલ પુજારા સહિતના શખ્સોની ધરપકડ કરી હતી.
આ શખ્સ હત્યા પછી આસામ, બિહાર, ઓરિસ્સા, તામિલનાડુ, તેલંગાણા, પ. બંગાળ અને મહારાષ્ટ્રમાં સતાવવા ઉપરાંત બનાવટી પાસપોર્ટથી થાઈલેન્ડ, સેનેગલ દેશમાં નાસી ગયો હતો. જેને દબોચી લેવાયા પછી આ શખ્સે ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજી રજૂ કરી હતી. સરકાર તરફથી ખાસ નિમવામાં આવેલા પીપી અનિલ દેસાઈ તથા મૂળ ફરિયાદીના વકીલ પ્રેમલ રાચ્છ દ્વારા દલીલો રજૂ કરવામાં આવી હતી. આ કેસના હાલના તપાસનીશ ડીવાયએસપી આર.બી. દેવધાએ રજૂ કરેલા પુરાવાઓ વગેરે ધ્યાને લઈ અદાલતે દિલીપ નટવરલાલની જામીન અરજી રદ્દ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial