Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના ભોજાબેડીમાં વકીલ પર એક પરિવાર દ્વારા હુમલો કરાયો

વાડી તરફ જવાનો માર્ગ બંધ કરાતા તકરારઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૨૫: જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામમાં એક વકીલ પર વાડી તરફ જવાના રસ્તા બાબતે એક પરિવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. તેમજ તેમને જાતી વિષયક શબ્દો ઉચ્ચારીને અપમાનિત કરવામાં આવ્યા હતા. આ અંગે મહિલા સહિતના ચાર લોકો સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ છે.

મૂળ જામજોધપુર તાલુકાના ભોજાબેડી ગામના અને હાલ જામનગરમાં રહેતા વકીલ રાજીવભાઈ ઉર્ફે મંગલભાઈ ખીમજીભાઈ વાઘેલા (ઉ.વ.૩ર)એ પોતાના પર હુમલો કરીને ઈજા પહોંચાડવા અંગે તેમજ જ્ઞાતિ વિષયક શબ્દો ઉચ્ચારીને અપમાનિત કરવા અંગે ભોજાબેડી ગામના મિલન ઉર્ફે બુધીયો શામજીભાઈ વિરાણી, શામજીભાઈ નાનજીભાઈ વિરાણી, ચંદ્રિકાબેન વિરાણી, ઉષાબેન વિરાણી સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રવજીભાઈની ભોજાબેડી ગામમાં આવેલી વાડીએ જવાનો રસ્તો બંધ કરવા બાબતે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ પછી વિરાણી પરિવારના ચાર સભ્યએ એકસંપ કરીને લાકડી-પાઈપ વડે આ હુમલો કર્યાે હતો. જે બાબતની ડીવાયએસપી દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh