Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામ્યુકોને પ્રદુષણ નિયંત્રણ બોર્ડે કરી જાણ
જામનગર તા. ૨૨: જામનગરની રંગમતી- નાગમતી નદીની દરેડની કેનાલ મારફતે આવતા પાણીના જથ્થામાંથી લેવાયેલા સેમ્પલમાં જૈવિક કચરો ભળ્યાનો રિપોર્ટ આવ્યો છે. ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા ગઈકાલે તળાવમાં આવતી કેનાલના પાણીનું ફરી સેમ્પલ લેવાયું છે. પાંચ કારખાનામાં પણ સેમ્પલ મેળવવા કાર્યવાહી થઈ છે.
જામનગર શહેરના મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં દરેડની કેનાલ મારફતે રંગમતી નાગમતી નદીનું પાણી આવે છે, જે કેનાલમાં કેટલાક ઉદ્યોગગ્રહો દ્વારા પોતાના કેમિકલ યુક્ત પ્રવાહીના જથ્થાનો નિકાલ કરી દેવામાં આવતો હોવાના કારણે પ્રદુષણયુક્ત પાણી લાખોટા તળાવમાં આવી રહૃાું છે, તેવી અનેક ફરિયાદો થયા પછી ગત ૨૭ જૂન ના રોજ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની જામનગરની કચેરી દ્વારા પાણીના સેમ્પલો લેવામાં આવ્યા હતા, અને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. જેના સેમ્પલોના રિપોર્ટ આવી ગયા છે, અને ઉપરોક્ત પાણીના જથ્થામાં જૈવિક કચરો ભળ્યો હોવાના રિપોર્ટ પણ મળ્યા છે. જેથી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા તાત્કાલિક અસરથી જામનગર મહાનગરપાલિકાને આની જાણ કરવામાં આવી છે.
આ ઉપરાંત હાલ વરસાદી સિઝન ચાલુ છે, અને ફરીથી ગઈકાલે લાખોટા તળાવમાં નવું પાણી આવ્યું હોવાથી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા રંગમતી નાગમતી નદીના પાણીના ફરી સેમ્પલો લેવામાં આવ્યા છે, અને પૃથકરણ માટે લેબોરેટરીમાં મોકલાયા છે.
સાથો સાથ દરેડની કેનાલને જોડતી ઉદ્યોગ નગર વિસ્તારની કેનાલ કે જેના વિસ્તારમાં આવતા અલગ અલગ પાંચ કારખાનાઓને ત્યાં પણ જઈને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડની ટીમ દ્વારા સેમ્પલો લેવામાં આવ્યા છે, અને આગળની કાર્યવાહી ચલાવવામાં આવી રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial