Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાત વર્ષ પહેલાં ધમકી આપ્યાની કરાઈ હતી રાવઃ
જામનગર તા. ૨૯: જામનગરના વસઈ ગામ પાસે આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના સંચાલકે સાત વર્ષ પહેલાં વસઈ ગામના તત્કાલિન મહિલા સરપંચના પતિ સામે ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ કરી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે આરોપીનો છૂટકારો ફરમાવ્યો છે.
જામનગરના વસઈ ગામમાં આવેલી દિલ્હી પબ્લિક સ્કૂલના સંચાલક સતાર તૈયબભાઈ પાસ્તાએ તા.૨-૩-૨૦૧૮ના દિને સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, વસઈ ગામના સરપંચ ઘનશ્યામસિંહ બચુભા જાડેજાએ ફોન કરી બોલાવ્યા હતા અને કહ્યું હતું કે, મારા પત્ની વસઈ ગામના સરપંચ છે, તમે મારી પરવાનગી વગર અમારા ગામની હદમાં સ્કૂલ ચાલુ કરી દીધી છે અને સ્કૂલ બસનો કોન્ટ્રાક્ટ તેમને સોંપવા માટે દબાણ કર્યું હતું. ત્યારપછી ઘનશ્યામસિંહ જાડેજા સ્કૂલમાં એન્ટ્રી બુકમાં સહી કર્યા વગર અને પરવાનગી વગર સ્કૂલમાં ઘૂસી ગયા હતા અને ઓફિસમાં આવી જઈ સતારભાઈના ભાઈ જાવેદને ધમકાવી પતાવી દેવાની ધમકી આપી હતી.
ત્યારપછી ફરીથી શાળાએ આવી ગાળો ભાંડી હતી અને સતારભાઈને તમારી સ્કૂલ બસ ચાલવા નહીં દઉ અને શાળા પણ નહીં ચલાવવા દઉં તેમ કહી ખૂલી જગ્યામાં રાખવામાં આવેલી સ્કૂલ બસ અને બોર્ડ ઉતારી લેવા માટે સ્ટાફને ધમકી આપી હતી. પોલીસે ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરી હતી.
ઉપરોક્ત કેસ ચાલવા પર આવતા આ શાળાએ વસઈ ગામની ગૌચરની જમીનમાં કબજો કરી તે શાળાની બસો ગેરકાયદે ત્યાં પાર્ક કરવામાં આવતી હોવાની જાણકારી મળતા સરપંચ સંગીતાબા ઘનશ્યામસિંહે કાર્યવાહી શરૂ કરાવતા તેમના પર દબાણ લાવવા શાળાના સંચાલક સતાર તૈયબભાઈએ આ ફરિયાદ નોંધાવી છે તેવી દલીલ કરવામાં આવી હતી. અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી સરપંચ પતિ અને હાલના સરપંચ ઘનશ્યામસિંહ બચુભાનો છૂટકારો ફરમાવ્યો છે. આરોપી તરફથી વકીલ નિખીલ બુદ્ધભટ્ટી, પાર્થ સામાણી, સમર્થ વેકરીયા રોકાયા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial