Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મનો દિવ્યાંગ બાળકોની મદદે અંબાણી પરિવારઃ
જામનગર તા. ૧૮: જામનગરની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશભાઈ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા અંબાણીના લગ્ન જીવનની પ્રથમ વર્ષ ગાંઠ રૂપે જામનગર શહેરમાં કેટલાક સેવાકીય તથા ધાર્મિક કાર્ય કરવામાં આવ્યા હતા, જેની સાથે સાથે જામનગર શહેરમાં કાર્યરત ઓમ ટ્રેનિંગ સેન્ટરમાં પણ મનોદિવ્યાંગ બાળકો માટે જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ ભેટ સોગાદરૂપે આપીને લગ્નની વર્ષગાંઠની અનોખી રીતે ઉજવણી કરી હતી.
ગત ૧૨ જુલાઈ ૨૦૨૫ના રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ટીમ દ્વારા જામનગરના મનોદિવ્યાંગ બાળકો માટેની કાર્યરત ઓમ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લીધી હતી, અને સંસ્થાના સંચાલિકા ડિમ્પલબેન મહેતા સાથે મુલાકાત કરીને મનોદિવ્યાંગ બાળકો માટેની અલગ અલગ જરૂરિયાત મુજબની ચીજ વસ્તુઓને ભેટસોગાદ રૂપે આપી હતી, અને મનોદિવ્યાંગ બાળકોની ખુશીમાં રંગ ભરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. જેથી સંચાલિકા ડિમ્પલબેન મહેતા અને તેઓની ટીમ દ્વારા અંબાણી પરિવાર અને તેઓની ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial