Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં મહેમાનગતિ માણવા મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓનું આગમન

પક્ષીઓને 'ગાંઠિયા' ખવડાવવા ઉપર પ્રતિબંધઃ

                                                                                                                                                                                                      

જામનગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ લાખોટા તળાવ પર વિદેશી પક્ષીઓનું આગમન થઈ ચૂક્યું છે. આ વર્ષે દોઢથી બે મહિના ચોમાસું ચાલતા દોઢ મહિનો વિદેશી પક્ષીઓ જામનગરમાં મોડા પહોંચ્યા છે. હાલ જામનગરમાં મોટી સંખ્યામાં રણમલ તળાવમાં 'મલાર્ડ' નામના પક્ષી જોવા મળતા પક્ષીપ્રેમીઓ રોમાંતિક છે. અને શહેરીજનો પણ પક્ષીઓને દારિયા-જુવાર સહિતની ચીજવસ્તુ ખવડાવી રહ્યા છે. ત્યારે જામનગર શહેરીજનોને એક અપીલ પણ કરવામાં આવી છે કે, આ વિદેશી પક્ષીઓને ગાંઠિયા ન ખડાવવા જોઈએ, જો ગાંઠિયા ખવડાવશો તો વિદેશી પક્ષીઓના મરણ થશે. આ અંગે મહાનગરપાલિકા કમિશનરે પણ ગાંઠિયાના વેંચાણ તથા ગાંઠિયા ખવડાવવા અંગે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh