Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આગામી રવિવાર અને સોમવારની રાત્રે
જામનગર તા. ૧૪: જામનગર શહેર જિલ્લા સહિત હાલારના નભોમંડળમાં સિંહ રાશિની ઉલ્કાવર્ષા તા. ૧૬ ને રવિવાર અને તા. ૧૭ ને સોમવારના રાત્રિના આકાશમાં રહેલા સિંહ રાશિના મૂખમાંથી ચારેય દિશામાં ઉલ્કાઓ ખરતી દેખાશે. મધ્ય રાત્રિ પછી આકાશમાં સિંહ રાશિના તારાઓ વધુ ઊંચાઈ ઉપર આવશે, જેથી મધ્ય રાત્રિથી વહેલી સવાર સુધી પ્રતિકલાકમાં ૧પ થી વધારે ઉલ્કાઓ ખરતી દેખાશે.
જો કે, શહેરના લાઈટ અને પોલ્યુશનવાળા વાતાવરણથી દૂર અંધારામાં ઉલ્કાવર્ષાનો નજારો વધારે સારી રીતે માણી શકાશે.
જ્યારે કોઈ ધૂમકેતુ પોતાના સૂર્યની આસપાસના પરિભ્રમણ દરમિયાન થોડા અવશેષો છોડી અનંત યાત્રાએ નીકળી પડે છે, અને આપણી પૃથ્વી જ્યારે આ ત્યજી દીધેલ અવશેષોની નજદીકથી પસાર થાય છે, ત્યારે આ અવશેષોના થોડા કણો પૃથ્વીના ગુરૂત્વાકક્ષણમાં ખેંચાઈને ઘર્ષણ અને વધુ સ્પીડને કારણે તેજ લીસોટાના સ્વરૂપમાં પરિણમે છે, અને નાની સંખ્યામાં વધારે હોય તો ઉલ્કાવર્ષા કહેવામાં આવે છે.
સિંહ રાશિતની આ ઉલ્કાવર્ષા પપપ પી. ટેમ્પલ ટટલ નામના ધૂમકેતુને આભારી છે. આ ઉલ્કાવર્ષા ઉત્તર ગોળાઈ અને દક્ષિણ ગોળાઈમાં જોવા મળશે. આ ઉલ્કાવર્ષા માણવા અને નરીઆંખે તેનો નજારો નિહાળવા માટે ખગોળપ્રેમીઓને જામનગર ખગોળ મંડળના સંયોજક કિરીટ શાહએ જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial