Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હાપા માર્ગે ભયજનક બેઠા પુલનું પુનઃનિર્માણ થશે
જામનગર તા. ૧૫: જામનગરમાં હૈયાત ૨૭માંથી બે બ્રિજ ભારે વાહન માટે પ્રતિબંધિત કરાયા, શહેરમાં પેચવર્કનું કામ ૪ દિવસમાં પૂર્ણ થશે. તેમ મ્યુનિ. કમિશનરે નગરનિરીક્ષણ દરમિયાન જણાવ્યું હતું.
જામનગરમાં વરસાદ પછી અનેક વિસ્તારમાં રસ્તાઓમાં ખાડા પડ્યા છે. તેમનું ઉપરાંત શહેરના કુલ ૨૭ માંથી કેટલાક બ્રિજનું મ્યુનિસિ૫લ કમિશનર અને તેમની ટીમ દ્વારા જાત નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વડોદરાની પુલ દુર્ઘટના પછી રાજ્યભરમાં પૂલની ચકાસણી કરવામાં આવી રહી છે.
જામનગર શહેરના મહાનગરપાલિકા હદ વિસ્તારમાં નાના-મોટા ૨૭ પુલ આવેલા છે. ગઈકાલે મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી, નાયબ કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા એન્જિનિયરની ટીમને સાથે રાખીને આજે કેટલાક પુલની મુલાકાત લીધી હતી. અને તેમની ક્ષમતા અંગે ચકાસણી કરી હતી. મ્યુનિસિ૫લ કમિશનરના જણાવ્યા મુજબ કાલાવડ નાકા બહારના પૂલનો ઉપયોગ પર હાલ ભારે વાહન માટે પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
આ ઉપરાંત હાપા માર્ગે પરના બેઠા પુલને પહેલેથી જ ભયજનક સ્થિતિમાં મૂકી દેવાયો છે. આ પૂલ નવો બનાવવા માટે ટેન્ડર પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં જ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી મળી ગયા. પછી અહીં ફોરલેન્ડ પુલનું કામ શરૂ થશે.
શહેરમાં વરસાદ પછી અનેક વિસ્તારોમાં ખાડા પડ્યા છે. તે અંગે મ્યુનિ. કમિશનરે જણાવ્યું હતું કે મોટા કદના ખાડાઓ નથી, આજે સાત રસ્તા, દિગ્જામ અને ધુંવાવ માર્ગે ખાડાનું પણ નિરીક્ષણ કર્યું હતું. જેની પેચવર્કની કામગીરી આગામી ચારેક દિવસમાં પૂર્ણ કરી લેવામાં આવશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial