Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બંને પક્ષે ફરિયાદ કરીઃ બે યુવતી સહિત આઠ સામે ગુન્હોઃ
જામનગર તા. ૩૦: જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર ઈન્દિરા કોલોનીમાં ઘર પાસે એઠવાડ નાખવાની બાબતે ચારેક દિવસ પહેલાં થયેલી બોલાચાલી પછી ગઈકાલે બે પાડોશીઓ વચ્ચે મારામારી થઈ હતી. જેમાં એક યુવતી સહિત ચારને ઈજા થઈ છે. બંને પક્ષે સામસામી ફરિયાદ કરતા પોલીસે બે મહિલા સહિત આઠ સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના દિગ્જામ વુલન મીલ રોડ પર આવેલી ઈન્દિરા કોલોનીમાં વસવાટ કરતા રાહુલ અમરશીભાઈ શેખવા નામના યુવાનના ઘરના વ્યક્તિઓને ઘર પાસે એઠવાડો નાખવા બાબતે ચારેક દિવસ પહેલાં પાડોશી ગૌતમ કરશનભાઈ બાવળફાડ સાથે બોલાચાલી થઈ હતી. તેનો ખાર રાખી ગઈકાલે રાત્રે ગૌતમ તેમજ દિનેશ કરશનભાઈ, હસમુખ કરશનભાઈ ઉર્ફે અશોક, મીનાબેને ગાળો ભાંડી હુમલો કર્યાે હતો.
આ વ્યક્તિઓએ માર મારવા ઉપરાંત અમરશીભાઈના પગમાં ગૌતમે છરી હુલાવી દીધી હતી. જ્યારે રાહુલના બહેનને ગાલમાં છરી મારી હતી. મીનાબેન તથા હસમુખે ઢીકાપાટુથી માર માર્યાે હતો. સિટી સી ડિવિઝનમાં મોડીરાત્રે રાહુલે ફરિયાદ નોંધાવી છે.
તે ફરિયાદની સામે ગૌતમ કરશનભાઈ બાવળફાડે વળતી ફરિયાદ કરી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ એઠવાડ નાખવા બાબતે ચારેક દિવસ પહેલાં થયેલા ઝઘડા પછી ગઈકાલે રાત્રે રાહુલ અમરશીભાઈ શેખવા, દલપત ભલાભાઈ, અમરશી ભલાભાઈ, સંજનાબેન અમરશીભાઈ શેખવાએ ગાળો ભાંડ્યા પછી દિનેશ કરશનભાઈના માથામાં પથ્થર ઝીંક્યો હતો અને હસમુખ ઉર્ફે અશોકના માથામાં ધોકો મારી ઈજા પહોંચાડી હતી. પોલીસે આ ગુન્હો પણ રજીસ્ટરે લીધો છે. આ હુમલામાં ઘવાયેલા યુવતી સહિતના ચારને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial