Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજકોટના વ્યક્તિઓને ઈજા થઈઃ
જામનગર તા. ૧૩: કાલાવડથી રાજકોટ વચ્ચેના ધોરીમાર્ગ પર નિકાવા ગામ પાસે ત્રણ સપ્તાહ પૂર્વે રાત્રિના સમયે એક મોટર ગોથું મારી જતાં તેમાં જઈ રહેલા વ્યક્તિઓને ઈજા થઈ હતી. પોલીસે મોટરચાલક સામે ગુન્હો નોંધ્યો છે. રાજકોટના કુવાડવા રોડ પર આવેલી ગ્રીનલેન્ડ ચોકડી નજીક લક્ષ્મણ પાર્ક-રમાં રહેતા પંકજભાઈ ગોવિંદભાઈ ઉધાડ તથા તેમના પરિવારના દીપકભાઈ નરશીભાઈ ઉધાડ સહિતના વ્યક્તિઓ ગઈ તા.ર૪ એપ્રિલની રાત્રે જીજે-૩-કેપી ૯૦૯૦ નંબરની ક્રેટા મોટરમાં કાલાવડના નાના વડાળા ગામથી રાજકોટ તરફ જતા હતા. તેઓ જ્યારે નિકાવા નજીક પહોંચ્યા ત્યારે દીપકભાઈએ કોઈ કારણથી મોટર પરનો કાબૂ ગૂમાવતા મોટર ગોથું મારી ગઈ હતી. આ અકસ્માતમાં પંકજભાઈનો હાથ ભાંગી ગયો છે અને અન્ય વ્યક્તિઓને ઈજા થઈ છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદ કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial