Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મૃતકના મોટાભાઈનું પોલીસે નિવેદન નોંધ્યંુ:
જામનગર તા. ૨૧: જામનગર નજીક દરેડમાં રહેતા મૂળ ઉત્તરપ્રદેશના એક શ્રમિક પરિવારની સાડા સોળ વર્ષની તરૂણીએ માતાની બીમારીના કારણે સતત ચિંતા કર્યા પછી લાગી આવતા શનિવારે સાંજે પોતાના ઘરે પંખામાં સાડી વડે ગળાફાંસો ખાઈ લીધો છે. પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધ્યું છે.
જામનગર નજીકના દરેડ ગામમાં હુસેની ચોક પાસે હાસમ ખફી નામના આસામીની ખોલીમાં ભાડેથી રહેતા મૂળ ઉત્તરપ્રદેશના નવાબગંજ જિલ્લાના વતની ઉષાબેન ગિરધારીલાલ કશ્યપ (ઉ.૧૬ વર્ષ અને ૬ મહિના) નામના તરૂણીએ શનિવારે રાત્રે સાડા આઠેક વાગ્યે ખોલી નં.રમાં પંખામાં સાડી વડે ગાળીયો બનાવી ગળાફાંસો ખાઈ લીધો હતો.
આ બાબતની તેમના પરિવારને જાણ થતાં ૧૦૮ને કોલ કરવામાં આવ્યો હતો. દોડી આવેલી એમ્બ્યુલન્સના સ્ટાફે આ તરૂણીને ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. ધસી આવેલી પંચકોશી બી ડિવિઝન પોલીસ ટીમે મૃતદેહને પીએમ માટે ખસેડી મૃતકના મોટાભાઈ સુરેન્દ્ર ગિરધારીલાલનું નિવેદન નોંધ્યું છે.
જેમાં તેઓએ જણાવ્યા મુજબ તેમના માતા કેટલાક સમયથી બીમાર રહેતા હતા. તેની ચિંતા સતત કરતા રહેતા ઉષાબેને શનિવારે સાંજે ઉપરોક્ત પગલું ભરી લીધુ છે. પોલીસે નિવેદન પરથી અપમૃત્યુ પરથી નોંધ કરી તપાસ શરૂ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial