Advertisement
Author: નોબત સમાચાર

લાખાબાવળમાં સરકારી જમીનના વેચાણ અંગે નોંધાયેલા ગુન્હામાં ત્રણની ધરપકડ

ગૌચરની જમીનમાં પાડી નાખવામાં આવ્યું પ્લોટીંગઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૬: જામનગરના લાખાબાવળ ગામની સીમમાં આવેલી સરકારી જમીનમાં દબાણ કરી તેનું પ્લોટીંગ કર્યા પછી કેટલાક શખ્સોએ તે પ્લોટનું વેચાણ કરી નાખ્યાની બે મહિના પહેલાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ગુન્હો નોંધ્યો હતો. આ ગુન્હામાં ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા લાખાબાવળ ગામની સીમમાં આવેલી સરકારી ગૌચરની જમીનમાં દબાણ કરી કેટલાક શખ્સોએ પ્લોટીંગ પાડી નાખ્યા પછી તેનું બારોબાર વેચાણ પણ કરી નાખ્યું હોવાની લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ફરિયાદ કરવામાં આવી હતી.

ધ્રોલની માઈશ્રી રમાબાઈ આંબેડકર સોશિયલ એન્ડ વેલફેર સોસાયટીના પ્રમુખ દિનેશ ચરણદાસ પરમાર દ્વારા વર્ષ ૨૦૨૦માં તે જમીન રહેણાંકના હેતુસર આપવા અરજી કરી હતી. તે પછી વર્ષ ૨૦૨૧માં આ જમીન ખરીદવા તેઓએ જણાવ્યું હતું. પરંતુ કલેક્ટરે તે અરજીઓ દફતરે કરવાનો હુકમ કર્યાે હતો.

ઉપરોક્ત કેસમાં હાલમાં પોલીસે દિનેશ ચરણદાસ ઉપરાંત હરેશ લક્ષ્મીદાસ સોની, પ્રવીણ હસમુખભાઈ ખરા નામના ત્રણ આરોપીની ધરપકડ કરી લીધી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh