Advertisement
Author: નોબત સમાચાર

માલધારીને ખેડૂતનો દરજ્જો આપવા 'આપ'ના ધારાસભ્યની રજૂઆત

કલેક્ટરોને સર્વસત્તાધીશ બનાવવા સામે વિરોધઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૯: ગાંધીનગરમાં વિધાનસભા સત્રના બીજા દિવસે આમ આદમી પાર્ટીના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, સરકાર દ્વારા સૌરાષ્ટ્રમાં ધરખેડ, ગણોત વહીવટ, પતાવટ તથા ખેતીની જમીનમાં સુધારા સંબંધિત વિધેયક-૩ લાવવામાં આવ્યું છે, જે અન્વયે સુરેન્દ્રનગર કલેક્ટરની ધરપકડનો મુદ્દો ઊઠાવ્યો હતો અને સૂચવ્યું હતું કે, કલેક્ટરની સત્તા પર નિયંત્રણ મૂકવું જોઈએ, જો કે સત્તા પક્ષે ચર્ચાની તક આપી ન હતી. જેમણે વધુમાં કહ્યું હતુ કે, સરકાર કલમ ૭પ હેઠળ સુધારો લાવી રહી છે, જ્યારે કલમ પ૪ અંગે ચર્ચા કરવી જોઈએ. માલધારીને ખેડૂતનો દરજ્જો અપાતા તેઓ સ્થાઈ થઈ જશે.

માલધારીએ જમીન ખરીદી છતાં સાત-બારમાં જેમના નામ નથી જેમાં સુધારાના બદલે સરકાર કલેક્ટરને અમાપ સત્તા આપી છે. જો સુધારો થશે તો માલધારીઓએ ખેડૂત તરીકે ખરીદેલ જમીન અંગે ગંભીર પ્રશ્નો ઊભા થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh