Advertisement
Author: નોબત સમાચાર

આમ આદમી પાર્ટીના 'ગુજરાત જોડો' સદસ્યતા અભિયાનમાં સમગ્ર ગુજરાતમાં જોરદાર પ્રતિસાદ

'આપ'ના નેતા ઈસુદાન ગઢવીનું નિવેદન

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. પઃ ખંભાળિયામાં આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીની પત્રકાર પરિષદ યોજાઈ હતી. તેમણે જણાવ્યું હતું કે આમ આદમી પાર્ટીના 'ગુજરાત જોડો' સદસ્યતા અભિયાનને સમગ્ર રાજ્યમાંથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે. એક જ દિવસમાં ત્રીસ હજાર લોકો 'આપ'માં સભ્ય તરીકે જોડાયા હતાં.

તેમણે આમ આદમી પાર્ટીના કાર્યક્રમો અંગે વિગતો આપતા જણાવ્યું હતું કે, ભણેલા લોકો તેમજ અન્ય લોકો માટે અવાજ ઊઠાવનાર યુવાનોને તક આપવામાં આવશે. ગુજરાતમાં લોકો ભાજપના શાસનથી ત્રાસી ગયા છે. લોકોને આમ આદમી પાર્ટીમાં ઉત્તમ વિકલ્પ દેખાય રહ્યો છે. પાર્ટીમાં ખેડૂતો, યુવાનો, મહિલાઓ તેમજ વેપારીઓ સ્વયંભૂ જોડાય રહ્યા છે.

ખેડૂતોને પૂરા ભાવ મળતા નથી, બિયારણ-ખાતર મળતા નથી તેથી ખેડૂતો પરેશાન છે. ચાર લાખ કરોડનું બજેટ હોવા છતાં ગુજરાતની ભાજપ સરકાર પાસે ગૌમાતા માટે કોઈ વ્યવસ્થા નથી. સાની ડેમના પાણીના મુદ્દે ખેડૂતો સાથે આંદોલનમાં જોડાવાની ખાતરી તેમણે આપી હતી.

દ્વારકા તથા ખંભાળિયામાં બિસ્માર રસ્તા, ગંદકીની હાલત જોઈને ખૂબ જ પીડા થાય છે. પ્રજા આવી સ્થિતિમાં કેવી રીતે જીવે છે? તમામ ગનરજનોના સહકારથી ખંભાળિયાને સ્વચ્છ અને સુંદર બનાવશું. ખંભાળિયામાંથી વિજય સંદેશ યાત્રા શરૂ થઈ છે. આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વિજય સંદેશ યાત્રાનું આયોજન થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh