Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરની ઢાંઢર નદીના કાંઠે આકાશી વીજળી ત્રાટકતા બે શ્રમિકના મૃત્યુઃ અન્ય બે દાઝી ગયા

એક માલધારીના ચાર ઘેટા પણ મોતને શરણઃ પોલીસ દોડીઃ

                                                                                                                                                                                                      

લાલપુર તા. ૪: લાલપુરના સેવકધુણીયા ગામની સીમમાં આવેલી ઢાંઢર નદીના કાંઠા પરથી ગઈકાલે સાંજે પસાર થતાં ચાર શ્રમિક તથા ઘેટા પર આકાશી વીજળી મોત બનીને ત્રાટકી હતી. બે પરપ્રાંતીયના ગંભીર રીતે દાઝી જવાથી અને ચાર ઘેટાના પણ મૃત્યુ નિપજ્યા છે. અન્ય બે પણ દાઝી જતાં સારવારમાં ખસેડાયા છે.

લાલપુર તાલુકાના સેવકધુણીયા ગામમાં આવેલા બહાદુરસિંહ નામના ખેડૂતના ખેતરમાં મજૂરીકામ માટે આવીને રહેતા મૂળ મધ્યપ્રદેશના ખરગોન જિલ્લાના મુહાલે ગામના વતની ભુરસીંગ બાટલીયા વાસ્કલે (ઉ.વ.૩૫) તથા કરણ ધ્યાનસીંગ ડાવર (ઉ.વ.૩૦) નામના બે આદિવાસી શ્રમિક ગઈકાલે પોતાના સંબંધો સાથે ખેતમજૂરી માટે ગયા હતા.

ત્યાંથી પરત ફરતી વખતે ધોધમાર વરસી રહેલા વરસાદમાં ઢાંઢર નદીના કાંઠા પાસે પહોંચ્યા ત્યારે અચાનક ધડાકા સાથે આ યુવાનો પર આકાશી વીજળી ત્રાટકી હતી.

અચાનક મોત ત્રાટકતા કરણ તથા ભુરસીંગના દાઝી જવાથી મૃત્યુ નિપજ્યા છે. જ્યારે સાથે રહેલા ગોપાલ હરદાસ ડાવર (ઉ.વ.૩૦), મેતાબ ગીલદાર ડાવર (ઉ.વ.૩૬) તેમજ નજીકમાં ઘેટા ચરાવી રહેલા હરીપર ગામના ગોકળભાઈ ટપુભાઈ ટોયટા પણ દાઝી ગયા હતા અને ગોકળભાઈના ચાર ઘેટાના દાઝી જવાથી મૃત્યુ થયા હતા.

આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે. પોલીસે વિક્રમ સરદારભાઈનું નિવેદન નોંધી અપમૃત્યુ અંગે નોંધ કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh